ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ પાકિસ્તાનનાં ધમકી ભરેલા બફાટનો વળતો જવાબ આપ્યો છે. વિશાખાપટ્ટનમમાં એક કાર્યક્રમમાં વેંકૈયા નાયડુએ કહ્યું કે, ભારતને ક્યારેય કોઇનાં પર હુમલો કર્યો નથી પરંતુ બીજાએ જ અમારી પર હુમલા કર્યા છે. અમે હજી પણ આગળ કોઇનાં પર હુમલો નહીં કરીએ. પરંતુ જો કોઇ અમારી પર હુમલો કરવાની કોશિશ કરશે તો અમે તેને યોગ્ય જવાબ દઇશું, જે તે પોતાનાં જીવનકાળમાં ક્યારેય નહીં ભૂલે.
ઉપરાષ્ટ્રપતિએ આગળ જણાવ્યું કે, અમારા પાડાઓશીઓમાંથી એક દેશ આતંકવાદીઓને સતત સહાયતા, નાણાંકીય પોષણ અને પ્રશિક્ષણ આપી રહ્યું છે. પરંતુ તેઓ ખુદને નુકસાન પહોંચાડવા જઇ રહ્યું છે, તેને આ સમજવું જોઇએ. તેઓએ જણાવ્યું કે, અમે કોઇનાં આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવા નથી ઇચ્છતા. પરંતુ અમે એ પણ નથી ઇચ્છતા કે બીજા પણ કાશ્મીરને વિશે વાત કરીને અમારા આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરે. કાશ્મીર એ ભારતનું અભિન્ન અંગ છે. તમને જણાવી દઇએ કે આ પહેલા પણ ભારતીય સેનાનાં પૂર્વી કમાનનાં કમાન્ડર લેફ્ટિનેંટ જનરલ એમ એમ નરવાનેએ કહ્યું હતું કે, 'પાકિસ્તાન પરમાણુ ધમકી આપવાનું ભલે શરૂ રાખે, પરંતુ ભારત એવી ધમકીઓથી ભયભીત નહીં થાય.'
#WATCH Vice President M Venkaiah Naidu in Visakhapatnam: India has never attacked any country. All Tom Dick & Harry came & attacked us. We'll not attack anyone, but if anyone tries to attack us, we will give them a fitting reply which they will not forget in their lifetime. pic.twitter.com/cHRiytCRnt
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પાકિસ્તાની ન્યૂઝ ચેનલ 'દુનિયા ટીવી'નાં જણાવ્યાં મુજબ, બુધવારનાં રોજ એક સેમિનારમાં પાકિસ્તાનનાં મંત્રી રશીદે કહ્યું કે, 'હું ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જોઇ રહ્યો છું, અને આજે અહીં સમુદાયને તૈયાર કરવા માટે આવ્યો છું. શેખ રશીદે કહ્યું કે, પાકિસ્તાની સેનાની પાસે જે હથિયાર છે તે જોવા માટે નહીં પરંતુ વાપરવા માટે છે.'
BIG BREAKING: Pakistan Railways Minister Sheikh Rashid predicts #Pakistan- #India war in #October#November, While addressing media in #Rawalpindi, he said that decisive time for Kashmir’s struggle has come. “This is going to be the last war between both countries.” pic.twitter.com/oFgDoe3jVo
પોતાના સંબોધનમાં પાકિસ્તાનનાં મંત્રીએ કહ્યું કે, 'અમે સંયુક્ત રાષ્ટ્રની સામે વારંવાર મુદ્દો ઉઠાવ્યો છે. તેઓ ફરી એક વાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની યાત્રા કરશે. શેખ રશીદે કહ્યું કે, પાકિસ્તાન છેલ્લાં શ્વાસ સુધી કાશ્મીર માટે લડતું રહેશે. પાકિસ્તાનનાં એક પત્રકારે શેખ રશીદનાં આ નિવેદનનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો.'