દિલ્હીમા 25 ઓકટોબરથી PUC વગરના વાહનોને પેટ્રોલ કે ડીઝલ નહીં આપવામાં આવે. પ્રદૂષણ અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
દિલ્હીમા PUC વગરના વાહનોને નહીં મળે પેટ્રોલ-ડીઝલ
25 ઓકટોબરથી લાગુ થશે નિયમ
પ્રદૂષણ અટકાવવા દિલ્હી સરકારે માટે ઉઠાવ્યા પગલાં
દિલ્હીમા PUC વગરના વાહનોને નહીં મળે પેટ્રોલ-ડીઝલ
દિલ્હીમાં દર વર્ષે શિયાળાની શરૂઆતમાં ભીષણ વાયુ પ્રદૂષણ જોવા મળે છે. આ વર્ષે દિલ્હી સરકારે પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વાયુ પ્રદૂષણ પર લગામ લગાવવા માટે મોટા પગલાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. આ પગલે હવે દિલ્હી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવે દિલ્હીમા PUC વગરના વાહનોને પેટ્રોલ-ડીઝલ નહીં મળે. દિલ્હી સરકારે વાયુ પ્રદૂષણણે અટકાવવા માટે વિન્ટર એક્શન પ્લાન લાગુ કર્યો છે. આ પ્લાન હેઠળ તમારી પાસે વાહનનું પોલ્યુશન ચેક સર્ટિફિકેટ નથી, તો તમે પેટ્રોલ નહીં ભરાવી શકો. દિલ્હી સરકારનો આ નિર્ણય 25 ઓકટોબરથી લાગુ થઈ જશે.
6 ઓકટોબરથી કેમ્પેન શરૂ કરશે સરકાર
આ જાણકારી દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે હાલમાં કરવામાં આવેલ એક કોન્ફરન્સમાં આપી. તેમણે કહ્યું કે પ્રદૂષણ અટકાવવા માટે GRAP અને વિન્ટર એક્શન પ્લાનને કડકાઇથિ લાગુ કરવામાં આવશે. આ સાથે જ 3 ઓકટોબરથી પર્યાવરણ મંત્રાલયનો વોર રમ કામ કરશે. આ વોર રમ 24 કલાક કામ કરશે. જ્યારે પ્રદૂષણને રોકવા માટે 6 ઓકટોબરથી દિલ્હી સરકાર Anti-Dust Campaign શરૂ કરશે.
Delhi govt to launch 24X7 war room on Oct 3 to combat pollution and ensure effective implementation of amended GRAP: Gopal Rai
પરાલીથી ઉઠતાં ધુમાડા માટે બાયોડિકમ્પોઝરનો છંટકાવ
પર્યાવરણ મંત્રીએ જણાવ્યું કે 10 ઓકટોબરથી પરાળીને ઓગળવા માટે બાયોડિકમ્પોઝરનો છંટકાવ શરૂ કરવામાં આવશે. આ વર્ષે 1000 હેકટેયર એટલે કે 5000 હેકટેયર ચોખા પેદા કરનાર ભૂમિ પર છંટકાવ કરવામાં આવશે. જ્યારે ગોપાલ રાયે પણ કહ્યું કે PUC વગરનાં વાહનોને હવે ઈંધણ નહીં આપવામાં આવે.
તેમણે કહ્યું કે દિલ્હીના પ્રદૂષણની સમસ્યા એર શેડની સમસ્યા છે, તેથી અપીલ છે કે એનસીઆરના રાજ્યોએ પણ તેમનો વિન્ટર એક્શન પ્લાન તૈયાર કરવો જોઈએ. યુપીની રાજનીતિ લખનૌ, રાજસ્થાનનું જયપુર અને હરિયાણાનું ચંદીગઢ છે, અધિકારીઓ બધા અહીં બેઠા છે, તેથી તેમને તેની ગંભીરતાનો ખ્યાલ નથી. તેમણે કહ્યું કે અત્યારે ઓડ-ઈવન માટે કોઈ પ્લાન નથી. અત્યારે અમે GRAP પર ધ્યાન કેન્દ્રિત કરીશું. હવે AQI ના આધારે GRAP લાગુ થશે.
જરૂર પડી તો કડક પગલાં લેવામાં આવશે
જો AQI 200-300 ની વચ્ચે રહે છે, તો GRAP મુજબ, બાંધકામની ધૂળ પર કડકાઇથી પાલન કરવું પડશે. જો 300-400 AQI હશે તો તંદૂર પર પ્રતિબંધ લાગશે, ડીઝલ સેટ બંધ કરવા પડશે. આ સાથે પાર્કિંગ ફીમાં પણ વધારો કરવો પડશે. આ સિવાય જો 400-500 AQI હશે તો બહારથી આવતા વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવશે અને દિલ્હીના મોટા વાહનોને બંધ કરી દેવામાં આવશે. જો તે 450 થી વધી જશે તો વધુ કડક પગલાં લેવામાં આવશે.