બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:29 PM, 21 July 2024
અત્યારે ટોલ પ્લાઝા પ્રબંધન આવા વાહન ચાલકોને જાગૃત કરી રહ્યા છે. એનએચઆઈની સહયોગી કંપની રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રબંધન કંપની લિમિટેડની તરફથી ત્રણ દિવસ પહેલા એક આદેશ જારી કર્યો હતો, જેમાં ગાડીની વિંડ સ્ક્રીન પર ફાસ્ટેગ લગાવવાનું કહેવામાં આવ્યું હતું. આ આદેશ પછી શનિવારે શહેરના બદરપુર ટોલ પ્લાઝા પર આ આદેશના પાલન માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
ટોલ પ્લાઝા પર આ આદેશ વિશે જાણકારી આપવા માટે નોટિસ પણ આપવામાં આવી છે. સોમવારે ટોલ પ્લાઝા કર્મચારીઓ આવા વાહન ચાલકો પાસેથી બમણો ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવશે. કેમ કે આવા વાહનો ચાલકોના કારણે ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી લાઈન લાગે છે. જેના કારણે અનેક સમસ્યાઓ સર્જાય છે. તેમજ એક ટોલ કર્મચારીએ જણાવ્યું કે, લોકોને આ કારણો છૂટ મળી જતી હોય છે. તેમજ ટોલ પ્લાઝા પર પોલીસ કર્મચારીઓ પણ આ પ્રકારે ટોલ ટેક્સ આપતા હોય છે.
ADVERTISEMENT
80 હજાર વાહનો બદરપુરા ટોલથી પસાર થાય છે
બદરપુર ટોલ પ્લાઝાથી 24 કલાકમાં સરેરાશ 80 હજાર વાહન પસાર થતા હોય છે. સવારે અને સાંજના સમયે અહીં ટ્રાફિક જોવા મળે છે. જેના કારણે લોકો હાથમાં ફાસ્ટેગ બતાવીને ટોલ ટેક્સ ચૂકવતા હોય છે જેના કારણે ટ્રાફિક સર્જાય છે. તો કેટલાક એવા પણ વાહન ચાલકો હોય છે તે ફાસ્ટેગ પર કંઈક વસ્તુ રાખી દે છે.
વધુ વાંચોઃ- VIDEO : ઝેરી કોબરાએ ઝાડ પરથી કાઢ્યું ડોકું, જોઈને કંપી ઉઠ્યાં લોકોના કાળજા
મહત્વનું છે કે, પહેલેથી જ સ્થાપિત નિયમો અનુસાર, NHAI નો ઉદ્દેશ્ય સોંપેલ વાહનની આગળની વિન્ડશિલ્ડ પર અંદરથી FASTag લગાવવા માટે પ્રમાણભૂત પ્રક્રિયાગત માર્ગદર્શિકા લાગુ કરવાનો છે. કોઈપણ FASTag કે જે માનક પ્રક્રિયા મુજબ સોંપેલ વાહન પર ચોંટાડાયેલ નથી તે વપરાશકર્તા ફી પ્લાઝા પર ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (ETC) ટ્રાન્ઝેક્શન કરવા માટે હકદાર નથી અને તેને ડબલ ટોલ ફી ચૂકવવી પડશે તેમજ તેને યોગ્ય રીતે બ્લેકલિસ્ટ કરી શકાય છે. ઈશ્યુઅર બેંકોને પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ વિવિધ પોઈન્ટ-ઓફ-સેલ (POS) થી ઈશ્યુ કરતી વખતે આગળની વિન્ડશિલ્ડ પર સોંપેલ વાહનને FASTag ફિક્સ કરે તે સુનિશ્ચિત કરે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.