વૈજ્ઞાનિકોએ રિસર્ચ બાદ કહ્યું છે કે શાકાહારી લોકોમાં કેન્સરનો ખતરો માંસાહારીઓની તુલનામાં ઓછો છે. જાણો આ વિષે વિગતવાર
શાકાહારીઓમાં કેંસર નો ખતરો ઓછો
ઓછું માંસ લેનાર લોકોમાં પણ ખતરો ઓછો
જાણો શું છે વિશેષજ્ઞોનાં મત
શાકાહારીઓમાં કેંસર નો ખતરો ઓછો
ત્રણ પ્રતિષ્ઠિત શોધ સંસ્થાઓનાં વૈજ્ઞાનિકોએ અધ્યયન બાદ આ દાવો કર્યો છે કે માંસાહારીઓના મુકાબલે શાકાહારી લોકોમાં કેંસરનો ખતરો 14 ટકા ઓછો છે. આ પહેલા ઘણા અધ્યાયનો શાકાહારી ભોજનને બ્લડપ્રેશર, વાજાન વધવું અને ટાઈપ 2 ડાયાબિટીસ જેવી બીમારીઓને દૂર રાખવામાં સહાયક જણાવે છે.
બીએમસી મેડિસીન જર્નલમાં પ્રકાશિત વિશ્વ કેંસર અનુસંધાન કોશ, કેંસર રિસર્ચ યૂકે અને ઓક્સફોર્ડ પોપ્યૂલેષણ હેલ્થનાં આ અધ્યયનમાં 4 લાખ 72 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. તેમનાં ભોજન સંબંધી ડેટા યૂકે બાયોબેંકથી લેવામાં આવ્યા હતા. માંસ અને માછલી ખાનાર લોકોને પણ અલગ અલગ વર્ગોમાં રાખવામાં આવ્યા હતા. બધા લોકોની 11.4 વર્ષ સુધીની ભોજન સંબંધી બધી આદતો પર ધ્યાન રાખવામાં આવ્યું હતું.
વિશેષજ્ઞોનાં મત
ડૉ. અયાન બસુ અનુસાર, શાકાહારી ભોજન કોલેરેકટલ કેંસરનાં જોખમને 22 ટકા સુધી ઓછું કરે છે. સાથે જ કેંસરનાં ખતરાને 10 થી 12 ટકા ઓછો કરે છે. એટલા માટે સ્વાસ્થ્ય માટે શાકાહારી ખોરાક સારો માનવામાં આવે છે.
ઓછું માંસ લેનાર લોકોમાં પણ ખતરો ઓછો
વૈજ્ઞાનિકો જણાવે છે કે નિયમિત માંસાહાર લેનાર લોકોની તુલનામાં ક્યારેક માંસ લેનાર લોકોમાં કેંસરનો ખતરો 2% સુધી ઘટી જાય છે. શાકાહારીઓમાં આ ખતરો 14 ટકા અને ઓછું માંસ લેનાર વ્યક્તિઓમાં આ ખતરો 9 ટકા ઓછો મળ્યો છે.
શાકાહારી મહિલાઓમાં રજોનીવૃત્તિ બાદ થનાર બ્રેસ્ટ કેંસરનો ખતરો 18 ટકા ઓછો મળ્યો છે. આ પાછળનું કારણ નોર્મલ વજન મની શકાય છે. માંસાહારીઓનાં મુકાબલે માછલી ખાવાથી પ્રોટેસ્ટ કેંસરનું જોખમ 20 ટકા અને શાકાહારીઓમાં 31 ટકા ઓછું મળ્યું છે.