હાલમાં કરાયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે લોકો ફળ, શાક, અનાજ અને દાળનું ભરુપૂર સેવન કરે છે તેમને કોરોના સંક્રમણના ગંભીર હોવાનો ખતરો ઓછો રહે છે.
કોરોનાને લઈને સામે આવ્યું નવું રિસર્ચ
વેજિટેરિયન ડાયટ લેતા લોકોને કોરોના ગંભીર હોવાનો ખતરો ઘટે છે
જાણો શું હોવો જોઈએ ખાસ ડાયટ પ્લાન
જેમ જેમ દુનિયામાં કોરોના મહામારી આવી તેનાથી બચવાના અનેક ઉપાયો લોકો અપનાવવા લાગ્યા પરંતુ ડોક્ટર્સ કહે છે કે સૌથી સરળ ઉપાય છે ઈમ્યુનિટીને સ્ટ્રોન્ગ બનાવી રાખવી. આ માટે લોકોએ પોતાના ખાસ ડાયટ પર ધ્યાન આપવાની જરૂર છે. ડોક્ટર્સ કહે છે કે કોઈ હાઈ પ્રોટીન ડાયટ પર છે તો કોઈએ નોનવેજનો ઉપયોગ વધારી દીધો છે. શું તમે જાણો છો કે જે લોકો સંપૂર્ણ રીતે શાકાહારી છે અને ફળ અને શાક તથા અનાજ અને દાળનો ઉપયોગ કરે છે તેમને કોરોનાનો ખતરો ઓછો રહે છે.
શોધમાં સામે આવ્યું ખાસ તારણ
મૈસાચુસેટ્સ જનરલ હોસ્પિટલે આ સ્ટડી કર્યો છે. શોધ કરનારાનું કહેવું છે કે ડાયાબિટિસ કે ગંભીર બીમારીથી પીડિત લોકો પર સ્ટડી કરાયો નથી. આ સ્ટડી હેલ્થ જર્નલ ગટમાં પ્રકાશિત થયો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે શાકાહારી ભોજનથી કોરોના મહામારીને ઘટાડવામાં મદદ મળી શકે છે.
આ રીતે કરાયો સ્ટડી
ટીમે 5 લાખ 92 હજાર 571 લોકો પર અમેરિકા અને બ્રિટનમાં 24 માર્ચ 2020થી 2 ડિસેમ્બર 2020 સુધી સ્ટડી કર્યો. તેમાં એવા લોકો સામેલ છે જે શાકાહારી નથી અને ફળ અને શાકનો પ્રયોગ ન કરવાની સાથે દાળ અને અનાજ પણ નહીંવત ખાતા હતા. સ્ટડીમાં જાણવા મળ્યું કે 31 હજાર 831 લોકો કોરોના સંક્રમિત થયા અને જે લોકોએ પૂરતો ડાયટ લીધો તેમાં પર્યાપ્ત પોષણવાળા ખોરાક ન લીધા તેમને સંક્રમણ 9 ટકા જેટલું રહ્યું હતું અને જે સંક્રમિત થયા તેમાં પણ રોગના ગંભીર હોવાનો ખતરો 41 ટકા રહ્યો હતો.
ડાયટ પર ધ્યાન રાખો
સ્ટડી કરનારી ટીમમાં સામેલ એન્ડ્રયૂ ચાને કહ્યું કે આ સમયે અમારું ધ્યેય માસ્ક કે વેક્સીનને લઈને ન હતું પણ ખાન પાનને લઈને જે સ્ટડી કરાયો છે તેના સારા પરિણામ આવ્યા છે. આ પરિણામથી જાણ થઈ રહી છે કે વેજિટેરિયન લોકોમાં કોરોનાના ઈન્ફેક્શનથી બચવા માટે મજબૂત ઈમ્યૂનિટી જોવા મળી રહી છે. સ્ટડીમાં ટીમે કહ્યું કે ખાનપાનમાં સુધારો કરીને મહામારીની અસરને ઘટાડી શકાય છે.