વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા બાદ અનુષ્કા શર્માના બેંક બેલેન્સ અને બ્રાન્ડ વેલ્યૂની સાથે સાથે કરિયરે પણ સ્પીડ પકડી છે. આટલું જ નહીં એ જ્યારે ફણ કોહલી સાથે હોય છે એ ખૂબ ખુશ જોવા મળે છે. જો કે અનુષ્કા અનુસાર આ એની લાઇફનો ઉત્તમ નિર્ણય નહતો.
અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે અને જણાવ્યું છે કે શાકાહારી અપનાવું એની લાઇફનો ઉત્તમ નિર્ણય હતો. એને લખ્યું 'મારા માટે આગળ વધવાનો નિર્ણય એ જ છે જેની પર ચાલીને આસાપસની દુનિયાનું ધ્યાન રાખી શકું અને પર્યાવરણથી તાલમેળ બેસાડી શકું.' અભિનેત્રીએ આગળ લખ્યું 'હું એ વાતથી સંતુષ્ટ છું કે હું આ રીતે દુનિયામાં નાનો ફેરફાર લઇને આવી.'
અનુષ્કા શર્માએ જે ફોટો પોસ્ટ કર્યો છે એ એને પશુ અધિકાર સંગઠન 'પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ' એટલે કે પેટાના કેમ્પેન માટે પડાવ્યો છે. એને 3 વર્ષ પહેલા નોનવેજ ખાવાનું છોડી દીઘું હતું. હવે પેટાની સાથે મળીને શાકાહારને પ્રોત્સાહન આપવાની ચળવળમાં લાગી ગઇ છે. કારણ કે જાનવરો પર અત્યાચાર રોકી શકાય.
અનુષ્કા શર્માનું કહેવું છે કે એ શાકાહારી છે એટલા માટે એના ભોજન માટે કોઇ જાનવરને પીડા થતી નથી. એ માને છે કે નોન વેજ ખાવાનું છોડ્યા બાદ એ પહેલાથી વધારે તંદુરસ્ત મહેસૂસ કરી રહી છે. અનુષ્કા ળર્મા વેગન ડાયટ લે છે. એટલે કે દૂઘ દહીંને પણ હાથ લગાવતી નથી. જે લોકો વેગન ડાયટ લે છે. એ કોઇ એવી ચીજનું સેવન કરતાં નથી જે જાનવરોમાંથી પ્રાપ્ત થાય છે.
આ વર્ષે પોતાના જન્મદિવસે અનુષ્કા શર્માએ જાહેરાત કરી હતી કે એ મુંબઇની પાસે જાનવરો માટે એક શેલ્ટર બનાવવા જઇ રહી છે. એને લોકોને અપીલ કરી હતી કે એ પોતાની આસપાસ રહેલા જાનવરોની જીંદગી સારી બનાવવા માટે યોગદાન આપે.