ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીના પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી તેમજ છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રને મેઘરાજાએ ઘમરોળ્યાં બાદ ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. ત્યારે બીજી તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચતા રાજ્યની સામાન્ય જનતા ચોતરફથી પીસાતી હોવા જોવા મળી રહી છે.
અમદાવાદમાં શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને
ગૃહિણીઓનું રસોડાનુ બજેટ ખોરવાયું
જમાલપુર APMC શરુ ન થતા માલની આવક ઘટી
અમદાવાદમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતાં ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખોરવાયું છે. અમદાવાદમાં જમાલપુર APMC શરૂ ન થતા માલની આવક ઘટી ગઇ હોવાથી શાકભાજીના ભાવમાં વધારો થયો છે.
ટામેટાનો ભાવ પહેલાના ભાવ કરતા બમણો થઇ ગયો છે. 40 રૂપિયે કિલો મળતાં ટામેટાના ભાવ હવે પ્રતિકિલો 80 થી 100 રૂપિયા થઇ ગયો છે. 90 રૂપિયે મળતી ચોળીના ભાવ પ્રતિકિલો 160 રૂપિયા થઇ ગયા છે. વટાણાના ભાવમાં પણ 40 રૂપિયા જેટલો વઘારો થયો છે. હાલ વટાણાનો પ્રતિ કિલો 160 રૂપિયા થયા છે.
કોથમીર ભાવ 100 રૂપિયાથી વધીને 160 થયા છે. 50 રૂપિયાએ કિલો મળતા ભીંડાના ભાવ 90 રૂપિયા થઇ ગયા છે. લીલી ડુંગળીનો ભાવ પણ બમણો થઇ ગયો છે. 50 રૂપિયે કિલો મળતી ડુંગળીના ભાવ હવે 100 રૂપિયા થઇ ગયા છે.