ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. આમ એક તરફ રાજ્યમાં કોરોના તો બીજી તરફ મોંઘવારી બેકાબૂ જોવા મળી રહી હતી. ત્યારે કોરોનાકાળમાં રોજિંદી વપરાતા શાકભાજીના સસ્તા થતાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યાં છે.
મોંઘવારીથી પીડાતી ગૃહિણીઓને મળી આંશિક રાહત
શિયાળામાં રોજિંદા વપરાતા શાકભાજી થયા સસ્તા
શાકભાજીના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓને મળી રાહત
હાલ કોરોનાકાળમાં એક તરફ કોરોના તો બીજી તરફ મોંઘવારી બેકાબૂ જોવા મળી રહી હતી. હાલ થોડા સમય પહેલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયેલા જોવા મળ્યાં હતા. જેને લઇને મધ્યમ વર્ગને કયુ શાક ખાવું તેને લઇને મનમાં સવાલો થઇ રહ્યાં હતા.
ત્યારે શિયાળાની ઠંડીએ જોર પકડતાં બીજી તરફ કોરોના આંકડાઓમાં મળી રહેલા રાહતના સમાચાર વચ્ચે રાજ્યમાં મોંઘવારીથી પીડાતી ગૃહિણીઓને આંશિક રાહત મળી છે.
હાલ મોંઘાવીરના માર વચ્ચે પીસાતા ગૃહિણીઓને શિયાળામાં રોજિંદા વપરાતા શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં આંશિક રાહત મળી છે.
જેમાં ડુંગળીના ભાવમાં પ્રતિકિલો રૂપિયા 20નો ઘટાડો જ્યારે બટાકાના ભાવ 10 રુપિયા ઘટી પ્રતિ કિલો 40 રુપિયા થયા છે.
જ્યારે મરાચાના ભાવ પ્રતિકિલો 40, વટાણાનો પ્રતિકિલો ભાવ 20થી 25 ભાવે મળી રહ્યાં છે. આ અગાઉ વટાણા 100 રૂપિયા કિલો વેચાતા હતા.
જો ટમેટાની વાત કરીએ તો પ્રતિ કિલો જે 60 રુપિયે વેચાતા હતા તે હવે 30 રુપિયા થઇ ગયો છે. લીંબુના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. લીબું જે 60 રુપિયાથી ઘટીને 40 પ્રતિ કિલો થયો છે.
ગાજરના ભાવ પ્રતિ કિલો 20 રુપિયા જોવા મળી રહ્યો છે. આ સાથે પાલક, મેથી સહિત શિયાળુ શાકભાજીના ભાવ જે આસમાને પહોંચી ગયેલા જોવા મળતા હતા તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.