જ્યારે વાત લીલા શાકભાજીની કરવામાં આવે ત્યારે પરવળનું નામ ચોક્કસથી શામેલ થાય છે અને સ્વાસ્થ્ય માટે પણ ઘણુ ફાયદાકારક સાબિત થાય છે.
પરવળમાં વિટામિન A, B 1 અને B 2, વિરામિન C સારી માત્રામાં હોય છે. શરીરની ઇમ્યૂનિટી વધારીને બિમારીઓ સામે લડવામાં મદદ કરે છે, તેમાં એન્ટ્રીઓક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે. પરવળના સ્વાસ્થ્ય લાભ આર્યુવેદમાં પણ ઉપલબ્ધ છે, જ્યાં તેનો ઉપયોગ પેટ સંબંધિત સારવાર માટે કરવામાં આવે છે જાણીએ તેનાથી થતા ફાયદાઓ વિશે...
- પરવળની શાકભાજી ખાવાથી પેટનો સોજો દૂર થાય છે, પેટમાં પાણી ભરવાની ગંભીર સમસ્યાને ઓછી કરે છે. પરવળના પત્તાથી ત્વચા સંબંધિત અન્ય રોગોને દૂર કરવામાં મદદ મળે છે. પરવળ હાડકાને સ્વસ્થ રાખે છે અને ફકની સમસ્યાને પણ દૂર કરે છે.
- 100 ગ્રામ પરવળમાં વિટામિન A અને C, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઘણા પોષક તત્વો સારી માત્રામાં હોય છે. વિભિન્ન પોષક તત્વોને કારણે લોહીને શુદ્ઘ કરવામાં મદદ કરે છે.
- પરવળમાં ભરપૂર માત્રામાં ફાયબર હોય છે, જે પાચન ક્રિયાને સારી કરીને પાચન તંત્ર મજબૂત બનાવે છે. આર્યુવેદ અનુસાર, ગેસની સમસ્યા થવા પર પરવળનુ સેવન કરવા માટે કહેવામાં આવે છે.
- 100 ગ્રામ પરવળની છાલમાં 24 કેલેરીઝ હોય છે અને તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ સારી માત્રામાં હોય છે. આર્યુવેદ અનુસાર, પરવળમાં ચામડીના રોગ, તાવ અને કબજિયાતની સમસ્યાને દૂર કરનારા ઔષધીય ગુણ હોય છે.
- 100 ગ્રામ પરવળમાં માત્ર 24 કેલેરી જ હોય છે. ફાઇબરની ઉપસ્થિતિને કારણે તેના ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. આ પ્રકારે તે વજન ઘટાડવા માટે પ્રોત્સાહન આપે છે.
- પરવળમાં વિટામિન્સ સિવાય કેલ્શિયમ સારી માત્રામાં હોય છે, જે કેલેરીની માત્રા ઓછી કરીને કોલેસ્ટ્રોલના સ્તરને નિયત્રિંત કરે છે. પરવળના બીજ શરીરને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
- પરવળ અને પરવળના બીજ પેશાબ સંબંધિત રોગો અને ડાયાબિટીસની સમસ્યા માટે રામબાણ ઇલાજ છે.