કોંગ્રેસના વરિષ્ઠ નેતા એમ. વીરપ્પા મોઇલીએ શનિવારે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ જો જનતા દળ સેક્યૂલર (JDS) સાથે ગઠબંધન ન કર્યું હોય તો તે 15થી 16 બેઠકો પર ચૂંટણી જીતી ગઇ હોત. એમણે કહ્યું કે ગઠબંધન પર વિશ્વાસ કરવો 'ભૂલ' હતી.
એમણે કહ્યું કે, ''10 ટકા માત્ર અહીં (ચિકાબલ્લાપુર) જ નહીં...ઘણા લોકસભા ક્ષેત્રોમાં... જો ગઠબંધન ન થયું હતો તો કોંગ્રેસ નિશ્ચિત પણે 15-16 બેઠક પર જીત હાંસલ કરી હોત.'' મોઇલીએ એક સવાલનો જવાબ આપી રહ્યા હતા કે જો ગઠબંધન ન થયું હોત તો શું તે ચિકાબલ્લાપુરમાં જીતી ગયા હોત.
એમણે કહ્યું કે, ''અમારા લોકોએ પણ અમારો વિરોધ કર્યો....એ સ્પષ્ટ છે''. એ પૂછવા પર કે કોંગ્રેસના લોકો તેમનો વિરોધ કેમ કરી રહ્યા હતા. એમણે વિસ્તારથી જાણકારી તો ન આપી પરંતુ એમ કહ્યું કે, એ તાકાત અને ધન માટે હોઇ શકે છે. આપને જણાવીએ કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી મોઇલી સત્તારૂઢ કોંગ્રેસ-જદ(એસ) ના સંયુક્ત ઉમેદવાર હતા.
ચિકબલ્લાપુરમાં ભાજપાના ઉમેદવાર બી.એન.બાચે ગૌડાએ એમને 1 લાખ 82 હજાર જેટલા વોટથી હરાવ્યા હતા. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને JD(S) ગઠબંધને રાજ્યમાં માત્ર એક બેઠક જીતવામાં સફળ રહી. જ્યારે ભાજપે 25 બેઠકો પર જીત મેળવી હતી. લોકસભામાં ચૂંટણીમાં મળેલી હાર પર કોંગ્રેસનું મનોમંથન ચાલુ છે પરંતુ આ દરમિયાન તેના વરિષ્ઠ નેતાઓએે હાર પર મીડિયામાં ખુલીને બોલવાનું શરૂ કર્યું છે.