સુરત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાના પરિણામમાં ઘોર બેદરકારી સામે આવી છે. ચોથી ડિસેમ્બરે યોજાયેલી બીએ સેમેસ્ટર-3 ની પરીક્ષામાં વિદ્યાર્થીઓના માર્ક્સમાં છબરડો કરવામાં આવ્યો છે.
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છબરડો
પરીક્ષાના કુલગુણથી વધુ ગુણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છબરડો સામે આવ્યો છે. સવારે લીધેલી પરીક્ષાના સાંજે પરિણામની ઉતાવળમાં છબરડો સામે આવતા પોલ છતી થઈ છે, યુનિવર્સિટીની ગંભીર બેદકારીને લઈને યુનિવર્સિટીની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સુરત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાના પરિણામમાં ઘોર બેદરકારી સામે આવી છે. મહત્વનું છે કે ચોથી ડિસેમ્બરે યોજાયેલી બીએ સેમેસ્ટર-3 ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને માર્ક્સ આપવામાં યુનિવર્સિટીએ છબરડો કર્યો હતો. 50 ગુણની પરીક્ષામાં 59 થી લઈ 78 માર્કર્સ અપાતા વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં 10 જેટલા વિદ્યાર્થીઓને 50થી વધુ માર્ક્સ આપવામાં આવ્યા છે જેના કારણે વિદ્યાર્થી સંગઠનના યુવાનોએ યુનિવર્સિટીના કુલપતિને આવેદન આપી જવાબદાર વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી છે.
પરીક્ષાના કુલગુણથી વધુ ગુણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા
સમગ્ર મામલે યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું છે કે, ટેકનિકલ સમસ્યાને કારણે તે વિદ્યાર્થીઓના લોગ ઈન બે વાર થઈ ગયા હતા. પહેલા લોગ ઈન થયા બાદ ટેકનિકલ સમસ્યા આવતા પરીથી લોગ ઈન કર્યા હતા. જેને કારણે તેઓના ગુણ ડબલ થઈ ગયા હતા. ટેકનિકલ સમસ્યાની ખબર પડી કે તરત જ તે સમસ્યા દૂર કરવામાં આવી હતી અને ગુણમાં સુધારો કરવામાં આવ્યો હતો.