વાયુ ફંટાઈ ગયુ છે પરંતુ તેણે મોકલેલા પવન દરિયાને ગાંડોતૂર બનાવી રહ્યાં છે. પોરબંદરનાં દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. તો વેરાવળનાં મેઘપુર ગામમાં ભારે પવન ફૂકાઈ રહ્યાં છે. ભારે પવનનાં કારણે નારિયેળીઓ ધરાશાયી થઈ છે. તો આ તરફ ગીર સોમનાથમાં પવન બેકાબૂ બન્યો છે. જેનાં જોરથી ઘરન છતનાં છાપરા અને આંગણામાં પાર્ક કરેલી બાઈકો હવામાં ફંગોળાઈ ગયા છે. આ વાયુએ દૂરથી આપણને કરેલો ઈશારો છે.
વાયુ ચક્રવાત ભલે ગુજરાતની ભૂમિ સાથે ન ટકરાયું હોય પરંતુ તેની અસર રાજ્યમાં દેખાઈ રહી છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યાં છે તો પવનનાં જોર સામે અનેક વૃક્ષો અને વીજપોલ ધ્વસ્ત થઈ ગયા છે. જો કે આટલા નુકસાન બાદ પણ આનંદની વાત એ રહી કે ચક્રવાતની હડફેડે આવતા આપણે સૌ બચી ગયા. પરંતુ તેમ છતાં હજુ રાહતનો શ્વાસ લેવા માટે થોડો સમય રાહ જોવી પડે તેમ છે. કેમ કે, પવનનું જોર ઓછું થયું નથી અને દરિયાનાં મોજા હમણાં વિરામ લે તેવું લાગતું નથી. પરિણામે હજુ પણ રાજ્યનાં આકાશ પર વાયુ વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉદભવ્યું અને દરિયામાં જ ફંટાઈ ગયું છે પરંતુ તેની અસર રાજ્યનાં દરિયાકાંઠે વિનાશ સ્વરૂપે દેખાઈ રહી છે.
વાયુ ફંટાઈ ગયુ છે પરંતુ તેણે મોકલેલા પવન દરિયાને ગાંડોતૂર બનાવી રહ્યાં છે. પોરબંદરનાં દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. તો વેરાવળનાં મેઘપુર ગામમાં ભારે પવન ફૂકાઈ રહ્યાં છે. ભારે પવનનાં કારણે નારિયેળીઓ ધરાશાયી થઈ છે. તો આ તરફ ગીર સોમનાથમાં પવન બેકાબૂ બન્યો છે. જેનાં જોરથી ઘરન છતનાં છાપરા અને આંગણામાં પાર્ક કરેલી બાઈકો હવામાં ફંગોળાઈ ગયા છે. આ વાયુએ દૂરથી આપણને કરેલો ઈશારો છે. જો તે જમીન પર ટકરાયું હોત તો કેવી હાલત હોત તે વિચાર માત્રથી ધ્રૂજી ઊઠાય છે.
વાયુ વાવાઝોડું ગુજરાતથી ભલે દૂર રહ્યું, પણ તેની અસર અત્યારથી જ દરિયાકાંઠે જોવાં મળી રહી છે. ગુજરાતનાં અલગ-અલગ દરિયાકાંઠાઓ પર દરિયો ગાંડોતૂર બનતાં પાણી ફરી વળ્યાં છે. વેરાવળ બંદર પર દરિયો તોફાની બનતા ત્રણ ફિશિંગ બોટ કાંઠા પર ફંગોળાઈ ગઈ હતી. તો મહુવામાં પણ દરિયામાં કરંટ જોવાં મળ્યો છે. તો દ્રારકાનો દરિયો પણ ગાંડોતૂર બનતાં દરિયાનાં પાણી જેટી પર ફરી વળ્યાં છે. તો દીવમાં પણ દરિયાનાં પાણીમાં કરંટ જોવા મળી રહ્યો છે. દીવ ચોપાટી પર દરિયો ગાંડોતૂર બન્યો છે. દીવનાં દરિયામાં ઊંચા મોજાં ઉછળી રહ્યાં છે. તો ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. તકેદારીનાં ભાગરૂપે NDRFની ટીમ તહેનાત કરાઈ છે. હાલ દીવમાં પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
વાયુ વાવાઝોડાની અસર જૂનાગઢના દરિયામાં પણ જોવા મળી રહી છે. જૂનાગઢના માંગરોળના દરિયામાં ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. હોલિ-ડે કેમ્પ પાસે દુધેશ્વર મંદિરમાં દરિયાના પાણી ઘૂસી ગયા હતા. કાંઠાના મકાનો ઉપરથી મોજા ઉછળી રહ્યા છે. દરિયાકિનારાની નજીકના ગામડાંઓને ખાલી કરાવાયા છે. તો અહીં પણ NDRFની ટીમ તહેનાત કરાઈ છે. રાજ્યમાં 'વાયુ' વાવાઝોડાની વર્તમાન સ્થિતિ પર હાલ સરકાર ચાંપતી નજર રાખી રહી છે.
જો કે આ વાવાઝોડાનો વ્યાપ 900 કિ.મી.નો છે. જ્યારે વાવાઝોડાની સ્પીડ પ્રતિ કલાક 140 કિ.મી.ની યથાવત છે. પરિણામે સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને અમરેલીમાં 10 ઈંચથી વધુ વરસાદ પડે તેવી સંભાવના જણાઈ રહી છે. આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્રનાં 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓના પગલે સરકારના વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે.