અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડું વાયુ ગુજરાત તથા મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. જેન પગલે ગુજરાતમાં આજરોજ સવારથી જ વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તો વળી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પણ પડ્યો હતો. ત્યારે તાજેતરમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ 'વાયુ' વાવાઝોડાએ આંશિક દિશા બદલી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2019
વાવાઝોડાએ બદલી દિશા
આ વાવાઝોડાએ વેરાવળ અને દીવના બદલે હવે પોરબંદર અને દ્વારકા તરફ આગળ વધ્યું છે. જોકે દિશા બદલી છે પરંતુ તીવ્રતા યથાવત છે. આજરોજ સાંજે 5 કલાકે હવામાન વિભાગે આ ઘટના અંગેની જાણકારી આપી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાયુ વાવાઝોડું આવતીકાલે સવારે નહીં પણ બપોરે ત્રાટકે તેવી શક્યતા છે.
સોમનાથથી પોરબંદર તરફ બદલાયું મુખ
ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાનું મુખ પહેસા સોમનાથ- વેરાવળ તરફ હતું હવે તેનું મુખ માધવપુર-પોરબંદર તરફ જમીની પ્રદેશ તરફ કેન્દ્રિત થયું છે. વાયુનું મુખ 10 ડીગ્રી બદલાયું છતા સોમનાથ અને સોરાષ્ટ્રમાં ખતરો યથાવત રહ્યો છે. વાયુને પગલે કદાવર હિરાકોટમાં 100 મીટરથી વધુ દરિયો આગળ આવ્યો હતો અને ગામ તથા ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું.
હવામાન ખાતાની આગાહી
વાયુ વાવાઝોડુંને લઇને હવામાન વિભાગના મોટા સમાચાર સામે આવ્યા છે, વાયુ અંગે હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર પર વાયુ વાવાઝોડાનો ખતરો હજુ પણ યથાવત છે. વાવઝોડું આવતી કાલે બપોર પોરબંદર-વેરાવળ વચ્ચે ત્રાટકી શકે છે.
આ સાથે જ હવામાન ખાતના અધિકારીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે, વાવાઝોડા સ્પીડમાં ઘડાડો પણ પવનની તિવ્રતામાં વધારો થયો છે. વાયુ વાવાઝોડુ 150થી 160 કીમી પ્રતિ કલાકની ઝડપે જમીન પર આવશે, જેની અસર સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢમાં અસર થઇ શકે
મુખ્યમંત્રીની પ્રજાને અપીલ
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં સંભવિત વાયુ વાવાઝોડું દરવાજે દસ્તક આપી રહ્યું છે ત્યારે સ્થાનિક વ્યવસ્થાતંત્ર તથા રાજ્યસરકાર દ્વારા પ્રજાને શાંતિ જાળવવા તથા સલામત સ્થળે પહોંચવા અપીલ કરી છે. આ સાથે જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને અપીલ કરી હતી કે, તંત્રનો સહકાર આપે, રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
ફ્લાઇટ સેવા પર અસર
ચક્રવાત વાયુની અસર હવાઇ સેવાને પણ થઇ છે. અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકેથી કેટલાક સ્થળો પર જવા માટે ઉપડનારી વિમાની સેવાઓ પર બ્રેક લગાવવામાં આવી હતી. પોરબંદર, દીવ, કાંધલા, મુંદ્રા તથા ભાવનગર તરફ જનારી કેટલીક ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે.
સોમનાથ નજીક ફૂંકાયો જોરદાર પવન
જેમ-જેમ ચક્રવાત વાયુ નજીક આવી રહ્યું છે તેમ તેમ સ્થિતિ ખરાબ બનતી જઈ રહી છે. આફત આવી રહી છે તેનો સામનો કરવા માટે લોકો તૈયાર રહે. સોમનાથ મંદિર અને તેની આસપાસ જોરદાર પવન ફુંકાય રહ્યો છે. પવનની ગતિને જોતા સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓએ શ્રદ્ધાળુઓને સલામત સ્થળે ખસેડવાનું શરૂ કર્યું છે.