'વાયુ' નામના વાવાઝોડાની આફત ગુજરાત તરફ આગળ વધી રહી છે ત્યારે સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળેલ. તો વળી દરિયો કાંઠાના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઇ હતી અને દરિયોમાં ઉંચા મોજા ઉઠળી રહ્યા છે, આ સાથે જ ભયંકર પવન ફૂંકાયો હતો. જેના તાજા દ્રશ્યો સામે આવ્યા હતા.
સોમનાથનો દરિયો બન્યો ગાંડોતૂર
વાયુ વાવાઝોડું વેરાવળના કાંઠે દસ્તક આપવાની તૈયારીમાં છે ત્યારે સોમનાથ મહાદેવ મંદિર નજીક ભયંકર પવન ફૂંકાયો હતો અને દરિયાના મોજા પણ ઉંચે ઉછળી રહ્યા છે. જેને પગલે સોમનાથ મહાદેવ મંદિરમાંથી ભક્તોને ખાલી કરાવવામાં આવ્યા હતા અને પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. આ સાથે જ કોઇપણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે સ્થાનિક તંત્ર દ્વારા ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ગામડાના લોકોનું કરાયું સ્થળાંતરણ
ગીર સોમનાથના અમુક વિસ્તારમાં હવે વાયુ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ગીર સોમનાથના અમુક વિસ્તારમાં હવે હળવો વરસાદ શરૂ થયો છે. જેથી હવે ઉનાના પટ્ટી ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. આ સિવાય કોડિનારના માધાવાડ સહિતા પણ ગામોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2019
કારણકે વાવાઝોડાના પગલે ગીર સોમનાથનો દરિયો ગાંડોતૂર બની રહ્યો છે અને ગમે ત્યારે તે વિકરાળ રૂપ લઈ શકે છે. ત્યારે હાલ દરિયાકાંઠાના વિસ્તારના ગામોના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
કોસ્ટગાર્ડ અલર્ટ
વાયુ વાવાઝોડાને પગલે કોસ્ટગાર્ડ અલર્ટ બન્યું છે. કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં રહેલી બધી બોટોને પરત બોલાવી લેવામાં આવી છે. દરિયામાં કરંટને પગલે 2 બોટ બાકી છે તેમને પણ પરત બોલાવી લેવામાં આવી છે. કોસ્ટગાર્ડનું કહેવું છે કે, સોમનાથના દરિયાકાંઠે વાવાઝોડાની વધુ અસર થશે. જેને લઈને તમામ બોટ પરત બોલાવી લેવામાં આવી છે.