અરબી સમુદ્રમાં સર્જાયેલુ ડીપ ડીપ્રેશન ભયાનક વાવાઝોડામાં પરિવર્તીત થઈ રહ્યું છે. જેમ જેમ કલાકો પસાર થઈ રહ્યા છે તેમ તેમ રાજ્ય અને વાવાઝોડા વચ્ચેનું અંતર ઘટી રહ્યુ છે. રાજ્યમાં લોકોનો ઉચાટ વધી રહ્યો છે અને તંત્ર દ્વારા વાવાઝોડા સામે બચાવ કામગીરી પાર પાડવા શક્ય તેટલી તૈયારી કરાઈ રહી છે. ત્યારે આ વાવાઝોડું કેવી રીતે અને ક્યાં ત્રાટકશે?
ગીર સોમનાથમાં વાયુ વાવાઝોડાને પગલે દરિયાકિનારોનો વિસ્તાર અલર્ટ કરાયો છે. મળતી માહિતી મુજબ સોમનાથથી અંદાજિત 600 કીમી દૂર વાયુ વાવાઝોડું છે. જેને લઈને સોમનાથના દરિયા કિનારે કરંટની અસર જોવા મળી રહી છે. દરિયામાં સામાન્યથી વધારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. વાવાઝોડાને લઈને પ્રવાસીઓની આવન જાવન પર રોક લગાવવા માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે.
મહત્વનું છે કે, અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યું છે. આ વાવાઝોડાને 'વાયુ' નામ આપવામાં આવ્યું છે. તો આ વાવાઝોડાને લઈને 100થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ વાવાઝોડુ 12 જૂનની રાત્રે 12 વાગ્યા પછી દીવ પાસેના વણાકબારા-સરખાડીથી ગુજરાતના દરિયા કાંઠે 110 કિમીની ઝડપે ફૂંકાવાની આગાહી છે. જેને લઈને દરિયાકાંઠાના વિસ્તારોમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
કેવી રીતે ત્રાટકશે 'વાયુ' વાવાઝોડું?
મંગળવાર સાંજે વાયુ વાવઝોડું ગુજરાતથી 700 કીમી દૂર
મંગળવારે રાત્રે વાવાઝોડું ગુજરાતથી 600 કીમી દૂર અરબી સમુદ્રમાં હશે