વાયુને લઈને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. વેરાવળ સહિત પંથકમાં ભારે વરસાદ થવાથી દેવકા નદી બે કાંઠે વહી રહી છે. ઓમનાથ મહાદેવ મંદિર પાસે પાણીનો પ્રવાહ વધ્યો છે. વરસાદથી ગીર સોમનાથમાં જિલ્લામાં ખેડૂતોના પાકને ભારે પવનને કારણે નુકસાન થયુ છે જ્યારે લોકોને ગરમીથી રાહત મળી છે.
તો વરસાદને કારણે જાહેર માર્ગોનું ઘોવાણ થયુ છે. જેના કારણે લોકો પર વિપરિત અસર થઈ રહી છે. ગઇ કાલે વ્હેલી સવારથી ભારે પવન ફુંકાતો હોવાના લીઘે અગમચેતીના ભાગરૂપે વીજપુરવઠો શહેરભરમાં બંઘ કરેલ હતો. શહેરમાં વાવાઝોડાની અજંપાભરી સ્થિતિના લીઘે બજારો પણ બંધ હતી.
તમને જણાવી દઇએ કે, વેરાવળ-સોમનાથ શહેરના વાતાવરણમાં બુઘવાર મોડી સાંજથી વાયુ વાવાઝોડાની અસર વર્તાવાનું શરૂ થઇ હતી અને રાત્રી દરમ્યાન 100 કી.મી. ની ઝડપે પવન ફુંકાવવાની સાથે ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જ્યારે ગઇકાલે ઘાબળીયા વાતાવરણ સાથે દિવસભર તેજ પવન વરસાદ ધોધમાર વરસાદ પડ્યો હતો.