વાયુ વાવાઝોડાને લઇને છેલ્લા 48 કલાકથી ચાલી રહેલા ભયના ઓથર બાદ આજરોજ રાહતના સમાચાર આવ્યાં છે. જેમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલ વાયુ વાવાઝોડુ ગુજરાતને ટકરાશે નહીં. વાવાઝોડાની દિશા બદલાય છે. વાયુના ચક્રવાતના કારણે રાજ્યના કેટલાક ભાગમાં નહિવત વરસાદ થવાની સંભાવના છે.
જેને લઇને રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સોમનાથ દાદાના દર્શન પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે વાયુ વાવાઝોડાને લઇને રાજ્યના મંત્રીઓને અલગ-અલગ જિલ્લાઓની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ગીર-સોમનાથની જવાબદારી સોંપાઇ હતી.
Gujarat Minister Bhupendrasinh Chudasama on Somnath Temple remains open despite alert issued in view of #CycloneVayu: Temples can't be closed. We have requested tourists not to visit, but 'aarti' being performed since many years can't be stopped. pic.twitter.com/YxDptsSDfr
જેને લઇને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ છેલ્લા બે દિવસથી સોમનાથ ખાતે રોકાણ કર્યું છે. આમ ગુજરાતમાં વાયુ વાવાઝોડાના ખતરો હાલ પુરતો ટળ્યા હોવાનને લઇને નિવેદન આપતાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે કુદરતને દુનિયાની કોઇ તાકાત રોકી શકે નહીં, માત્રને માત્ર કુદરત જ રોકી શકે. કુદરતને રોકી શકવાની આપણી તાકાત નથી.
ઉલ્લેખનીય છે કે વાયુ વાવાઝોડાના ખતરો હોવા છતાં સોમનાથ મંદિર ખુલ્લુ રાખવામાં આવ્યું છે. જો કે અમે પ્રવાસીઓને જણાવી રહ્યાં છે કે મુલાકાત ન કરો. જો કે સોમનાથ મંદિરમાં વર્ષોથી આરતીની પરંપરા હોય તેને બંધ કરી શકાય નહીં.