વાયુ સંકટમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓને પણ એકજૂથ કરી દીધાં છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ વાયુ સંકટમાં પ્રજાની પડખે આવી ગયા છે. મંત્રી આર.સી.ફળદુ, સાંસદ નારણ કાછડિયા જાફરાબાદ પહોંચ્યા. તો કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર પણ જાફરાબાદ પહોંચ્યા. ભાજપ અને કોંગેસના નેતાઓએ સાથે મળીને સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવ્યો.
ભાજપ-કોંગ્રેસના નેતા વાયુ સંકટમાં થયાં એકજૂથ
રાજ્યમાં વાયુ ચક્રવાત દરવાજા ખખડવી રહ્યું છે ત્યારે ભાજપ-કોંગ્રેસના નેતાઓ આ સંકટ સમયે પ્રજાની પડખે આવીને ઉભા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, મંત્રી મંત્રી આર.સી.ફળદુ, સાંસદ નારણ કાછડિયા જાફરાબાદ સ્થિતી જાણવા માટે પહોંચતા કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર પણ તેમની સાથે જોડાયા હતા અને સમગ્ર પરિસ્થીતિનો તાગ મેળવ્યો હતો.
અગત્યના મુદ્દા
`વાયુ' સંકટમાં ભાજપ-કોંગ્રેસના નેતા થયા એકજૂથ
ભાજપ અને કોંગેસનાં નેતાઓ વાયુ સંકટમાં પ્રજાની સાથે
કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર પણ જાફરાબાદ પહોંચ્યા
ભાજપ અને કોંગેસના નેતાઓએ સાથે મળીને મેળવ્યો સમગ્ર સ્થિતીનો ચિતાર
તમામ નેતાઓએ એક સાથે બેસીને સ્થિતિ અંગે કરી ચર્ચા
વિવિધ મંત્રીઓને સોંપાઇ છે જવાબદારી
વાયુ વાવાઝોડાની શક્યતાને પગલે તંત્ર દ્વારા પરિસ્થિતિને પહોંચી વળવા માટે વ્યવસ્થિત આયોજન કરી લેવાયું છે. આ આયોજનમાં જન સ્થળાંતરથી માંડી બચાવ કાર્ય અને રાહત સામગ્રી સહિતને લઈને તંત્રએ માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યુ છે.
મળતી માહિતી મુજબ વાયુ વાવાઝોડાને લઈને મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે. જેમાં ભુપેન્દ્રસિંહને ગીર સોમનાથની જવાબદારી સોંપવામાં આવી છે. તો વિભાવરીબેનને ભાવનગરની જવાબદારી સોંપાઈ છે. જ્યારે જયેશ રાદડિયાને પોરબંદરમાં બચાવ રાહતની જવાબદારી સોંપવામાં આવી છે. તો દિલીપ ઠાકોરને કચ્છ અને સૌરભ પટેલને રાજકોટની જવાબદારી સોંપાઈ છે.
CM રૂપાણીએ જનતાને કરી અપીલ
સંભવિત વાયુ વાવાઝોડાને લઈને CM રૂપાણીએ જનતાને અપીલ કરી છે. જેમાં તેમણે વાવાઝોડાને લઈને તંત્ર બધી રીતે સજ્જ હોવાની વાત કરી છે. તો શાળાઓ બંધ રાખવા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને બહાર ન નીકળવા સલાહ આપી છે.
તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવાસે ગયેલા પ્રવાસીઓને જોખમી સ્થળો પર મુસાફરી નહી કરવા અને સલામત સ્થળે પહોંચવા વિનંતી કરી છે. આ ઉપરાંત મંદિરો, NGO અને સામાજિક સંસ્થાઓને અસરગ્રસ્તોને સહાય કરવા માટે CMએ અપીલ કરી છે.
કોસ્ટગાર્ડ અલર્ટ
વાયુ વાવાઝોડાને પગલે કોસ્ટગાર્ડ અલર્ટ બન્યું છે. કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં રહેલી બધી બોટોને પરત બોલાવી લેવામાં આવી છે. દરિયામાં કરંટને પગલે 2 બોટ બાકી છે તેમને પણ પરત બોલાવી લેવામાં આવી છે. કોસ્ટગાર્ડનું કહેવું છે કે, સોમનાથના દરિયાકાંઠે વાવાઝોડાની વધુ અસર થશે. જેને લઈને તમામ બોટ પરત બોલાવી લેવામાં આવી છે.