વાયુ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધ્યું છે. હાલમાં વેરાવળ દરિયાકાંઠાથી વાયુ વાવાઝોડુ 740 કિલોમીટર દૂર છે. ગઈ કાલે વાવાઝોડુ 930 કિલોમીટર દૂર હતુ. ત્યારે 12 કલાકમાં વાવાઝોડુ 190 કિલોમીટર ગુજરાત તરફ આગળ વધ્યું છે. વાયુ વાવાઝોડુ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ત્યારે 24 કલાકમાં વાવાઝોડુ દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાયુ છે અને તેના કારણે વાવાઝોડુ ત્રાટકવાની શક્યતા છે. 12થી 14 જૂન સુધી વાવાઝોડાની અસર રહે તેવી પણ શક્યતા છે. વાવાઝોડાના પગલે ભારે વરસાદ પણ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંચથી સાત ઈંચ જેટલો વરસાદ પડે તેવી શક્યતા છે. તો વાવાઝોડાના પગલે તંત્રને પણ અલર્ટ કરી દેવામાં આવ્યું છે.