કોરોનાના કારણે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ રદ્દ થઈ
વોર્ને કટાક્ષમાં કહ્યું, હું ગેરંટી આપુ છુ કે IPLને કોઈ અસર નહીં થાય
સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર ટી. નટરાજન કોરોના પોઝિટિવ આવ્યા બાદ વોનને વધુ એક તક મળી ગઈ. વોને કહ્યું, ''કોરોનાના કારણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં રમાનારી પાંચમી ટેસ્ટ રદ થઈ હતી. હવે આઇપીએલના બીજા તબક્કામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે, પરંતુ હું ગેરન્ટી આપું છું કે લીગ પર તેની કોઈ અસર નહીં થાય.''
માઈકલ વોને ફરી એક વખત માન્ચેસ્ટર ટેસ્ટનો મુદ્દો ઉઠાવ્યો
સનરાઇઝર્સ હૈદરાબાદનો ફાસ્ટ બોલર નટરાજન કોરોના પોઝિટિવ આવ્યા બાદ માઇકલ વોને ફરી એક વાર માન્ચેસ્ટર ટેસ્ટનો મુદ્દો ઉઠાવ્યો છે. વોને બીસીસીઆઇ પર વ્યંગ કરતાં ટ્વિટ કર્યું, ''હવે જોવું રહ્યું કે શું માન્ચેસ્ટર ટેસ્ટની જેમ આઇપીએલ રદ થાય છે કે નહીં... હું ગેરન્ટી આપું છું કે આવું નહીં જ થાય.''
રવિ શાસ્ત્રી બાદ અન્ય સભ્યોને થયો હતો કોરોના
ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમ્યાન ટીમના કોચ રવિ શાસ્ત્રી કોરોના પોઝિટિવ થયો હતો. ત્યારબાદ સપોર્ટ સ્ટાફના અન્ય સભ્યો પણ કોરોના પોઝિટિવ થયા હતા. ભારતીય ટીમે ત્યારબાદ પાંચમી ટેસ્ટ મેચ રમવાનો ઇનકાર કરી દીધો એ વાત માઇકલ વોન સહિત ઈંગ્લેન્ડના ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોને હજમ નહોતી થઈ. તેમનું માનવું હતું કે ભારતીય ખેલાડીઓએ આઇપીએલને ધ્યાનમાં રાખીને જ પાંચમી ટેસ્ટ મેચમાં રમવાનો ઇનકાર કરી દીધો હતો.
વોને અનેક વખત ભારતીય ટીમની કરી છે ટીકા
વોન છેલ્લાં કેટલાંક વર્ષોથી અનેક વાર ભારતીય ટીમની ટીકા કરી ચૂક્યો છે. તે ઘણી વાર ભારતીય ટીમના પ્રદર્શન અંગે પણ ભવિષ્યવાણી કરતો રહે છે, જોકે તેની મોટા ભાગની ભવિષ્યવાણી ખોટી સાબિત થતી રહી છે. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ શ્રેણી માટે તેણે કહ્યું હતું કે ભારત ૦-૪થી હારશે, પરંતુ ભારતીય ટીમ ૨-૧થી શ્રેણી જીતી ગઈ હતી. ઈંગ્લેન્ડ સામે જ્યારે ભારતનો હેડિંગ્લે ટેસ્ટમાં પરાજય થયો ત્યારે તેણે ટીમ ઇન્ડિયાને બેકાર કહી હતી. પરંતુ ભારતે ઓવલમાં રમાયેલી ટેસ્ટમાં શાનદાર જીતી મેળવી હતી.
માઈકલ વોને વિરાટ કોહલીની પણ કરી છે ટીકા
માઇકલ વોન વિરાટ કોહલીની પણ ઘણી વાર ટીકા કરતો રહે છે. તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પહેલાં કહ્યું હતું કે વર્તમાન સમયમાં કેન વિલિયમ્સન સૌથી શાનદાર બેટર છે. વોનના જણાવ્યા અનુસાર જો વિલિયમ્સન ભારતીય હોત તો તે સૌથી મોટો સ્ટાર ક્રિકેટર હોત.