આપણા દેશમાં એવી ઘણી નદીઓ અને કુંડ છે જેના માટે એવી માન્યતા છે કે અહીંયા સ્નાન કરવાથી માણસના પાપ ધોવાઇ જાય છે. આત્માની શુદ્ધિકરણ માટે લોકો આ નદીઓમાં ડુબકી લગાવવાનું ભૂલતા નથી. જો કે આજે અમે તમને એક એવા ઝરણા માટે જણાવવા જઇ રહ્યા છીએ એમાં ઘણા પોતાની મરજીથી ન્હાઇ શકતા નથી કારણ કે આ ઝરણાનું પાણી પાપીઓ ઉપર પડતું નથી.
અમે અહીંયા વાત કરી કહ્યા છે વસુંધરા ઝરણાની જે ઉત્તરાખંડમાં આવેલો છે. બદ્રીનાથથી 9 કિલોમીટર દૂક આવેલું વસુંધરા ઝરણું અલકાનંદા નદી પર છે. એની ખાસિયત એ છે કે જો કોઇ પાપી વ્યક્તિ ઝરણાની નીચે જાય છે તો એની ઉપર ઝરણાનું પાણી પડતું નથી. આશરે 400 ફીટ ઊંચાઇથી પડનારી જળના ધારાની નીચે ન્હાવુ દરેક માટે શક્ય નથી.
એટલે કે ઝરણાંનું પાણી કોઇની ઉપર પડે તો એમની આત્મા શુદ્ધ છે. આ કારણથી દૂરદૂરથી લોકો અહીંયા આવે છે. એની સાથે જ એવું પણ કહેવામાં આવે છે કે આ ઝરણાનું પાણી ખૂબ જ સારું છે કારણ કે એમાં ન્હાવાથી કોઇ રોગ થતો નથી. આવું એટલા માટે કારણ કે ઝરણાનું પાણી પહાડીમાં સ્થિત ઘણી જડી બુટ્ટીઓને અડીને નીચે પડે છે. પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે કે આ એ જગ્યા છે જ્યાં પાંચ પાંડવોમાંથી એક સહદેવે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. બદ્રીનાથ આવનાર શ્રદ્ધાળુ વસુંધરા ઝરણાને જોઇને જરૂરથી અહીંયા આવે છે.