આજકાલ દંપત્તિઓની વચ્ચે એક જ થાળીમાં ભોજન કરવાનુ ચલણ સામાન્ય થઇ ગયુ છે. જ્યારે પતિ-પત્નીનુ એક જ થાળીમાં ભોજન કરવુ વાસ્તુ શાસ્ત્રમાં સારું માનવામાં આવ્યું નથી.
પતિ-પત્નીએ એક થાળીમાં ભોજન ન કરવુ જોઈએ
આ બાબતને વાસ્તુ શાસ્ત્રમાં સારી માનવામાં આવી નથી
જેનો ઉલ્લેખ મહાભારતમાં પણ કરવામાં આવ્યો છે
પતિ-પત્નીનુ એક જ થાળીમાં ભોજન કરવુ સારી વાત નથી
હવે સંયુક્ત પરિવારોની જગ્યા એકલ પરિવાર અથવા ન્યુક્લિયર ફેમિલીએ લીધી છે. એવામાં પરિવારની અંદર જીવન જીવવાની પદ્ધતિમાં ઘણા મોટા ફેરફાર આવ્યાં છે. જેમાં ભોજન સાથે જોડાયેલો ફેરફાર પણ સામેલ છે. આજકાલ ઘણા પરિવારોમાં પતિ-પત્ની એક જ થાળીમાં ભોજન કરે છે. જ્યારે પતિ-પત્નીનુ એક જ થાળીમાં ભોજન કરવુ વાસ્તુ શાસ્ત્રમાં સારું માનવામાં આવ્યું નથી. આ ઉપરાંત ધર્મ શાસ્ત્રોના વિદ્વાન ભીષ્મ પિતામહે આ અંગે મહત્વપૂર્ણ વાત કહી છે. જેનો ઉલ્લેખ મહાભારતમાં પણ કરવામાં આવ્યો છે.
આ કારણે પતિ-પત્નીએ એક થાળીમાં ભોજન ન કરવુ જોઈએ
ભીષ્મ પિતામહે આદર્શ જીવનને લઇને કહ્યું છે કે માણસ તેના જીવનમાં ઘણા સંબંધો બનાવે છે અને તેના પોતાના પરિવારના દરેક સભ્યને લઇને કેટલાંક કર્તવ્ય હોય છે. દરેક વ્યક્તિએ પોતાના આ કર્તવ્યોનુ પાલન કરવુ જોઈએ. જેના માટે જરૂરી છે કે તેના બધાની સાથે મધુર સંબંધો રહે. જો પતિ-પત્ની એક થાળીમાં ભોજન કરશે તો પતિનો પોતાના પરિવારના અન્ય સભ્યોની તુલનામાં પત્ની પર પ્રેમ વધારે વધી જશે. એવામાં તે બાકી સભ્યોની અવગણના કરે છે. જેનાથી ઘરમાં કંકાશ થવો સામાન્ય વાત છે. આ રીતે એક નાની ભૂલ આખા પરિવારની ખુશીઓ છીનવી શકે છે અને ઘર બરબાદ કરી શકે છે.
ગુમાવી બેસે છે સારા-ખરાબની ઓળખ
માત્ર પત્ની સાથે વધુ પડતો પ્રેમ કરવો પતિની બુદ્ધી ભ્રષ્ટ કરી શકે છે અને તે સારા-ખરાબનો ફરક ગુમાવી શકે છે. આ સ્થિતિ પરિવારના મોભી માટે સારી નથી. એવામાં સારું છે કે પતિ-પત્ની એક જ થાળીમાં ભોજન ના કરે. પરંતુ આખો પરિવાર એકસાથે બેસીને ભોજન કરે. જેનાથી આખા પરિવારમાં એકતા અને પ્રેમ વધે છે અને એકબીજા સાથેના સંબંધો મજબૂત થાય છે. એકબીજા માટે ત્યાગ અને સમર્પણની ભાવના વધે છે. જેનાથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધી આવે છે.