તમે કેટલાંક ઉપાય કરીને માં લક્ષ્મીની કૃપા મેળવી શકો છો. આ ઉપાયોથી ઘરમાં આર્થિક તંગી દૂર રહેશે.
માં લક્ષ્મીની આરાધના કરીને ઘરમાંથી આર્થિક તંગી કરો દૂર
પગાર આવ્યાં બાદ પણ તમારી પાસે રૂપિયા ટકતા નથી
માં લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા આવશ્ય કરો
શું ઘરમાં રૂપિયા ટકતા નથી? કરો આ ઉપાય
જીવન ચલાવવા માટે ધન હોવુ અત્યંત જરૂરી છે. આજકાલ દરેક માણસ ઈચ્છે છે કે તેમની પાસે ઘણુ બધુ ધન હોય, પરંતુ લોકો રૂપિયા ઘણા કમાય છે, તેમ છતા તેમની પાસે 1 રૂપિયો પણ ટકતો નથી. આવા લોકોના જીવનમાં આર્થિક સંકટ યથાવત રહે છે. ઘરની સુખ-સમૃદ્ધી માટે દરેક માણસ દિવસ-રાત મહેનત પણ કરે છે. તેમ છતા ઘરની આર્થિક સ્થિતિ ખરાબ રહે છે. આવો જાણીએ કયા ઉપાયો કરવાથી તમે માં લક્ષ્મીની કૃપા મેળવી શકો છો.
શંખ
ઘરના પૂજાવાળા સ્થાનમા શંખ ફરજીયાત રાખવો જોઈએ. શંખ રાખવાથી ઘર પર નકારાત્મક પ્રભાવ રહેતો નથી. આ સાથે શંખના અવાજથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધી રહે છે અને નાણાની ક્યારેય કમી થતી નથી.
તસ્વીર અથવા મૂર્તિ
પૈસાની કમીને દૂર કરવા માટે માં લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા જરૂર કરો. આ સાથે ઘરમાં દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની તસ્વીર અથવા મૂર્તિ રાખવી જોઈએ. ઉલ્લેખનીય છે કે માં લક્ષ્મી નાણાની દેવી અને ભગવાન કુબેરને દેવ માનવામાં આવ્યાં છે.
પલાશના ફૂલ
માં લક્ષ્મીને પલાશના ફૂલ અને કમળનુ ફૂલ અત્યંત પ્રિય હોય છે. તો પલાશના ફૂલને ઘરની તિજોરીમાં રાખવાથી રૂપિયાનુ હંમેશા આગમન થાય છે. તમે ફૂલને કોઈ લાલ કપડામાં લપેટીને રાખી શકો છો. તમે તાજા અથવા સુકા બંનેમાંથી કોઈ પણ ફૂલ રાખી શકો છો.