વાસ્તુ શાસ્ત્રમાં આજે અમે તુલસીના છોડ સાથે જોડાયેલી અમુક અન્ય મહત્વપૂર્ણ વાત વિશે જણાવીશું. પ્રાચીન કાળથી ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી અને તેમાં દરરોજ જળ ચઢાવવાની પરંપરા ચાલી રહી છે.
આ દિવસે ભૂલથી પણ તુલસીના છોડ પર ના ચઢાવશો જળ
તુલસીના છોડ પર છે જળ ચઢાવવાની પરંપરા
જો આ ટિપ્સને ના અનુસરી તો લક્ષ્મીજી થશે નારાજ
તુલસીના પાન ક્યારે તોડવા ના જોઈએ?
પરંતુ અમુક એવા દિવસો પણ હોય છે, જ્યારે તુલસીમાં જળ ના ચઢાવવુ જોઈએ. જાણો કયા-કયા દિવસે તુલસીમાં જળ ના ચઢાવવુ જોઈએ. આ સાથે આ દિવસમાં અને સૂર્ય અસ્ત થયા બાદ તુલસીના પાન ના તોડવા જોઈએ. આવુ કરવાથી દોષ લાગે છે. આ સાથે જે વ્યક્તિ ગુરૂવારના દિવસે તુલસીના છોડમાં કાચુ દૂધ નાખે છે અને રવિવારને છોડીને દરરોજ સાંજે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તેના ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે.
તુલસીનો સૂકો છોડ ના રાખવો જોઈએ
આ સિવાય ઘરમાં ક્યારેય પણ તુલસીનો સૂકો છોડ ના રાખવો જોઈએ. જેને અશુભ માનવામાં આવે છે. આવા છોડને કૂવા અથવા કોઈ પવિત્ર સ્થાન પર પધરાવી દેવો જોઈએ અને નવો છોડ લગાવવો જોઈએ. આશા છે કે તમે આ વાસ્તુ ટીપ્સને અપનાવીને આવશ્ય લાભ ઉઠાવશો.