માટીનો ઘડો ફક્ત ઠંડા પાણી માટે જ નથી હોતો. પરંતુ આ ધન-સમૃદ્ધિ પણ આપે છે. વાસ્તુ શાસ્ત્રમાં માટીના ઘડાને ખુબ જ શુભ માનવામાં આવે છે.
ઘરમાં જરૂર રાખો માટીનો એક ઘડો
ધન-ધાન્યથી ભરેલુ રહેશે ધર
વાસ્તુ શાસ્ત્રમાં જણાવી છે યોગ્ય રીત
સામાન્ય રીતે ઉનાળામાં ઘણા ઘરોમાં માટીના વાસણો રાખવામાં આવે છે. માટીના ઘડામાંથી પાણી પીવું સ્વાસ્થ્ય માટે પણ સારું છે. આ સિવાય વાસ્તુની દૃષ્ટિએ પણ માટીના વાસણનું ખૂબ મહત્વ છે. શગુન શાસ્ત્રમાં તો પાણીથી ભરેલા માટીના વાસણનું દેખાવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આને શુભ સંકેત કહેવાય છે. વાસ્તુશાસ્ત્રમાં પણ માટીના વાસણોને સંપત્તિ સાથે જોડવામાં આવ્યા છે. જો ઘરમાં માટીના વાસણને યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે રાખવામાં આવે તો ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે. ઘરના લોકોની પ્રગતિ થાય છે અને તેમની આવક વધે છે. માટીના વાસણની જગ્યાએ માટીનો જગ પણ રાખી શકાય છે.
આ છે માટીનો ઘડો રાખવાની યોગ્ય રીત
જ્યારે પણ તમે નવું માટીનું વાસણ લાવો ત્યારે તેને સારી રીતે ધોઈ લો અને પીવાના પાણીથી ભરો. પછી સૌ પ્રથમ આ પાણી બાળકને પીવડાવો. આમ કરવાથી ઘરમાં હંમેશા સમૃદ્ધિ બની રહે છે. જો પહેલું પાણી કોઈ કન્યાને આપવામાં આવે તો સારું રહેશે.
માટીના વાસણને ઉત્તર દિશામાં રાખો કારણ કે તે વરુણ દેવ એટલે કે પાણીના દેવતાની દિશા છે. જો આ શક્ય ન હોય તો. તમે તેને ઉત્તર-પૂર્વમાં પણ રાખી શકો છો. આમ કરવાથી ઘરના સભ્યોની આવક વધે છે તેમને પ્રમોશન મળે છે.
યાદ રાખો કે માટીના વાસણને ક્યારેય ખાલી ન રાખો. ખાસ કરીને રાત્રે ઘડા ખાલી ન હોવા જોઈએ. આમ કરવાથી ધનની હાનિ થાય છે. ઘડા ભરેલા રાખવાથી તમારું ઘર પણ પૈસા અને ભોજનથી ભરેલું રહેશે.
જો આર્થિક સમસ્યાઓનો અંત ન આવતો હોય અને કરિયર-વ્યવસાયમાં કોઈ સમસ્યા હોય તો દરરોજ સાંજે માટીના વાસણની સામે દીવો પ્રગટાવો. સાંજે કપૂર પણ સળગાવો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધશે.