આજે આપણે એવા કેટલાક છોડ વિશે જાણીએ જે સકારાત્મકતા લાવવાની સાથે ઉનાળામાં આવતા મચ્છર અને કીડાઓની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે.
ઘરમાં લગાવો આ છોડ
સુખ-સમૃદ્ધિની સાથે આવશે સકારાત્મક્તા
જાણો તમારા ઘરના આંગણે કયા છોડ વાવવા જોઈએ
વાસ્તુશાસ્ત્રમાં છોડને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. કેટલાક ખાસ વૃક્ષો અને છોડ એટલા શુભ માનવામાં આવે છે કે તેમની ઘરમાં હાજરીથી અનેક પ્રકારના વાસ્તુ દોષો દૂર થાય છે. આ છોડ ઘરમાં સકારાત્મકતા લાવે છે અને ઘણી બીમારીઓ સામે રક્ષણ આપે છે.
આજે આપણે એવા કેટલાક છોડ વિશે જાણીએ જે સકારાત્મકતા લાવવાની સાથે ઉનાળામાં આવતા મચ્છર અને કીડાઓની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે. આ સાથે, તેઓ ઘરમાં દરેક સમયે તાજગીનો અહેસાસ પણ આપે છે.
ફુદીનો
ફુદીનાની સુગંધ ખૂબ જ સરસ હોય છે. તેમાં કેટલાક ગુણધર્મો છે જે મચ્છરો અને માખીઓને દૂર રાખે છે. આ છોડને ઘરમાં લગાવવાથી મચ્છર અને માખીઓ આવતા નથી. સાથે જ તેની સુગંધ વાતાવરણને તાજગીભરી રાખે છે.
લિમડો
લીમડામાં ઘણા એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણો હોય છે. જે ઘણી બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે. સાથે જ તે જ્યાં હોય છે તેની આસપાસ જંતુઓ અને જીવાત આવતા નથી. લીમડાના પાનનો ધુમાડો પણ ગામડાઓમાં મચ્છરોને દૂર કરવા માટે કરવામાં આવે છે.
યુકેલેપ્ટસ
નીલગિરીમાં રહેલા તત્વો મચ્છર, માખીઓ અને જંતુઓને ભગાડે છે. તેથી, તેને ઘરના આંગણામાં લગાવવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
તુલસી
ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. તેમજ તેમાં રહેલા પ્રાકૃતિક ગુણો મચ્છરોને દૂર રાખે છે. તેની સાથે કીડીઓ અને નાના જંતુઓ પણ તેની સુગંધને કારણે આસપાસ નથી આવતા.