ઘરની બહાર નિકળતી વખતે આ સંકેતોને ખાસ ધ્યાનમાં રાખો. આ સંકેતોને ક્યારેય પણ નજરઅંદાજ ના કરવા જોઈએ.
ઘરની બહાર જતી વખતે આ સંકેતોને ધ્યાનમાં રાખો
અમુક શુભ સંકેતોને ધ્યાનમાં રાખો
ઘરની બહાર નિકળતી વખતે આ સંકેતોથી બચજો
અટકેલા કામને આગળ ધપાવવા આટલુ કરો
જ્યારે પણ આપણે ઘરની બહાર કોઈ કામ માટે નિકળીએ છીએ તો આપણે વિચારીએ છીએ કે આપણે જે કામ માટે જઇએ છીએ તે કામ આપણુ બની જાય. પરંતુ ઘણી વખત ઘરમાંથી બહાર નિકળતી વખતે એવા સંકેત દેખાય છે, ત્યારબાદ મનમાં શંકા ઉભી થાય છે અને આપણુ કામ અટકી જાય છે. ઘરના મોટા વડીલો પણ ઘરમાંથી બહાર જતી વખતે અમુક શુભ વસ્તુઓ કરવી અને અશુભ વસ્તુઓમાંથી બચવાની સલાહ આપે છે.
જો ઘરમાંથી નિકળતી વખતે કોઈ છીંક ખાય અથવા તમને છીંક આવી જાય તો તેને અશુભ માનવામાં આવે છે. પરંતુ આ હંમેશા અશુભ હોય તે જરૂરી નથી. જો કે, બે અથવા બેથી વધુ છીંક આવે તો તેનો અર્થ છે કે કશુક શુભ થવાનુ છે અને તમારું કામ બની શકે છે. પરંતુ એક છીંક શુભ માનવામાં આવતી નથી. એવામાં ઘરમાંથી બહાર જતી વખતે છીક આવી જાય તો બે મિનિટ બાદ ઘરમાંથી બહાર નિકળો.
જો ઘરમાંથી નિકળતા સમયે દૂધ, ખાલી વાસણ અથવા ડસ્ટબીન દેખાય તો આ અશુભ મનાય છે. જો તમે પાનના પત્તા, માછલી, હાથી અથવા કોઈની ઠાઠડી દેખાય તો આ શુભ સંકેત છે. આ ઉપરાંત ઘરમાંથી નિકળતા સમયે તમને ફૂલ અથવા ફૂલમાળા દેખાય તો તેનો અર્થ તમારી સાથે કોઈ માંગલિક કાર્ય થવાનુ છે.
જો તમને રસ્તામાં પડેલો સિક્કો મળે તો તેનો અર્થ તમારું કામ થવામાં સમય લાગી શકે છે. જો તમને રસ્તામાં નોટ દેખાય તો તેનો અર્થ તમારું અટકેલુ કામ થવાનુ છે. જો તમને સિક્કો અને નોટ બંને મળે તો તેનો અર્થ છે કે તમારું કામ કોઈની મદદથી થઇ જશે.
જો ઘરમાં નિકળતા જ તમારો પગ કીચડ અથવા છાણમાં પડી જાય તો તેનો અર્થ છે કે તમે કોઈ સમસ્યામાં પડવાના છે.
ઘરમાં નિકળતા જ કોઈ ભિખારી સામે આવી જાય તો તેને ભિક્ષા આવશ્ય આપજો અને સમજો કે તમારું દેવુ સમાપ્ત થવાનુ છે.