દરવાજા પર ગણેશજીની મૂર્તિ લગાવવાથી ઘરમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ આવે છે. જો તમે ઘરમાં ગણેશજીની મૂર્તિ લગાવી રહ્યા છો તો તેનાથી સંબંધિત નિયમોને જાણવા જરૂરી છે.
ઘરના મેઈન ગેટ પર છે ગણેશજીની મૂર્તિ?
તો આ નિયમોનું રાખો ખાસ ધ્યાન
ઘરમાં આવશે સકારાત્મકતા અને સમૃદ્ધિ
હિન્દુ ઘરોમાં મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશની મૂર્તિ અથવા તસવીર મૂકવાની પરંપરા છે. વાસ્તુ અનુસાર દરવાજા પર ગણેશની મૂર્તિ મૂકવી શુભ માનવામાં આવે છે, પરંતુ તેની સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો જાણવી જરૂરી છે. આવો જાણીએ કે દરવાજા પર ગણેશજીની મૂર્તિ મૂકવાના કયા નિયમો છે.
પ્રિતમાની દિશા
જો ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ કે પશ્ચિમ દિશામાં હોય તો આવા દરવાજા પર ગણેશની મૂર્તિ રાખવી શુભ માનવામાં આવતી નથી. જો દરવાજાનું મુખ ઉત્તર કે દક્ષિણ દિશામાં હોય તો જ ગણેશજીની મૂર્તિ દરવાજા પર લગાવવી જોઈએ.
કઈ રીતે લગાવવી મૂર્તિ?
મુખ્ય દરવાજાની અંદરની તરફ ગણેશજીની સ્થાપના કરવી જોઈએ. મૂર્તિનો ચહેરો અંદરની તરફ હોવો જોઈએ. પશ્ચિમ ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશા વધુ શુભ માનવામાં આવે છે.
કયો રંગ છે યોગ્ય
ગણેશજીની મૂર્તિઓ અલગ-અલગ રંગોમાં જોવા મળે છે. તેથી વાસ્તુ અનુસાર પોતાની ઈચ્છા અનુસાર મૂર્તિઓની સ્થાપના કરવી જોઈએ. ઘરમાં પ્રગતિ માટે સિંદૂર રંગની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. પ્રગતિ માટે સફેદ રંગની મૂર્તિ લગાવવી પણ શુભ માનવામાં આવે છે.
સૂંઢનું રાખો ધ્યાન
દરવાજાની બહાર મુકેલી ગણેશ મૂર્તિની સૂંઢ ડાબી તરફ નમેલી હોવી જોઈએ જમણી તરફ મુખ વાળી સૂંઢ ઘરની અંદર શુભ માનવામાં આવે છે પરંતુ દરવાજાની બહાર આ પ્રકારની ગણેશ મૂર્તિ સારી માનવામાં આવતી નથી.
પ્રતિમાની મુદ્રા
ઘર માટે ગણેશજીની મૂર્તિ લેતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તે બેઠેલી મુદ્રામાં હોવી જોઈએ. ઘરના દરવાજાની બહાર ઊભી મુદ્રામાં ગણપતિની મૂર્તિ ના લગાવવી જોઈએ. બીજી બાજુ જો તમે ઓફિસ અથવા તમારા કાર્યસ્થળ માટે પ્રતિમા લઈ રહ્યા છો તો તમે તેને ઊભી મુદ્રામાં લઈ શકો છો.