જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ-શાંતિ રહે તો તમારે અમુક વસ્તુઓને ઘરમાં ન લાવવી જોઈએ.
વાસ્તુ અનુસાર ઘરમાં ન લાવવી જોઈએ આ વસ્તુઓ
ઘરની સુખ-શાંતિ થઈ જશે તબાહ
આ તસ્વીરો ઘરમાં લગાવતા પહેલા વાંચીલો નુકસાન
ઘણી વખત તમે ઘરમાં અમુક નવી વસ્તુઓ ખરીદીને લાવો છો અને તેના અમુક દિવસો બાદ પરિવારમાં અચાનક ઉથલ-પાથલ શરૂ થઈ જાય છે. પરિવારના લોકોમાં અરસ પરસ પર દ્વેષ વધે છે અને આર્થિક સ્થિતિ પણ ડામાડોળ થવા લાગે છે. તમે ન ઈચ્છવા છતાં પણ કોર્ટ કચેરીના ચક્કરમાં ફસાવવા લાગો છો. હકીકતે આ (Vastu Dosh)ના કારણે થાય છે.
હાથીઓની તસ્વીર ઘરમાં ન લાવો
ઘર પર તલવાર, ચપ્પુ, બંદૂક, તોપ જેવા ખતરનાક હથિયારોની તસ્વીર ન લગાવો. તેનાથી મનમાં હિંસાત્મક વિચારો આવે છે. જેનાથી પરિવારના લોકોની શાંતિ ભંગ થાય છે અને ગૃહ ક્લેશ વધી જાય છે. આ તસ્વીરોને વારંવાર જોવાથી તમારો સ્વભાવ ગુસ્સાવાળો થઈ જાય છે. જેનું પરિણામ કોર્ટ-કચેરીના રૂપમાં જોવા મળે છે. માટે એવી તસ્વીરોને ક્યારેય ઘરમાં ન લાવવી જોઈએ.
રહસ્યમયી જગ્યાઓની તસ્વીરો
એમુક લોકો ક્રિએટિવિટીના નામ પર પોતાના ઘરમાં ભૂત-પ્રેત અથવા રહસ્યમયી જગ્યાઓની તસ્વીરો લગાવે છે. આ વિચાર ભલે મોર્ડન લાગતા હોય પરંતુ તમને જણાવી દઈએ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે. જેના કારણે પરિવારના લોકો અજીબો ગરીબ સંકટમાં ફસાવવા લાગે છે. જે ઘરમાં રહેનાર માટે કષ્ટદાયી હોય છે. માટે જો તમને ઘરમાં કોઈ પણ તસ્વીર લગાવી છે તો તેને તરત બહાર કરી દો.
ભૂલથી પણ ન લગાવો મહાભારતની તસ્વીર
ઘરમાં ક્યારેય પણ મહાભારત સાથે જોડાયેલી તસ્વીર ન લગાવવી જોઈએ. હકીકતે મહાભારત એક પારિવારિક યુદ્ધ હતું. જે કૌરવ અને પાંડવોની વચ્ચે થયું હતું. મહાભારતની તસ્વીર પરિવારમાં સંઘર્ષની ભાવનાને વધારે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર મહાભારતની તસ્વીર ઘરની સુખ-શાંતિમાં અડચણ ઉભુ કરે છે.
આ વસ્તુઓની તસ્વીરોથી વધે છે ખર્ચ
ઘરમાં ફુવારા, મોંઘી હોટર, સ્કૂલ અથવા હોસ્પિટલની તસ્વીર પણ ક્યારેય ન લગાવવી જોઈએ. વાસ્તુ અનુસાર આ દરેક વસ્તુઓ આ બધી વસ્તુઓ ખર્ચને વધારે છે અને આર્થિક સ્થિતિને ખરાબ કરે છે. એવી તસ્વીરો પરિવારને વધારે ખર્ચ કરવા માટે પ્રેરિત કરે છે. જ્યારે વાસ્તુ કહે છે કે જે ઘરમાં ધન જેટલું વધીરે હોય છે તે તેટલું જ ખુશ રહે છે. માટે તમારા પરિવારમાં ખુશાલી અને આર્થિક લાભ જોઈએ તો આ વસ્તુઓને ક્યારેય પોતાના ઘરમાં ન લાવવી જોઈએ.