વાસ્તુ શાસ્ત્ર અનુસાર જૂતા-ચપ્પલથી શનિનો સંબંધ હોય છે. ઘરમાં આમ-તેમ પડેલા ચપ્પલ જીવન પર નકારાત્મક અસર કરે છે. સાથે જ માનસિક અને આર્થિક પરેશાનીઓનો પણ સામનો કરવો પડે છે.
ફોલો કરો આ વાસ્તુ ટિપ્સ
ચપ્પલને ગમે ત્યાં ન રાખો
નારાજ થઈ જશે શનિદેવ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દરકે વસ્તુઓને એક નિશ્ચિત અને યોગ્ય દિશામાં રાખવું જ શુભ હોય છે. વાસ્તુમાં જૂતા ચપ્પલ મુકવા માટે એક દિશા નક્કી કરવામાં આવી છે. સામાન્ય રીતે લોકો જૂતા-ચપ્પલને ઘરના ઉમરાની પાસે જ આમ તેમ મુકી દે છે. જ્યારે અમુક લોકો ઘરની અંદક જુતા-ચપ્પલ લઈને આવે છે. વાસ્તુ શાસ્ત્રની દષ્ટિએ આ બન્ને રીત ખોટી છે. એવામાં જાણીએ કે જુતા ચપ્પલ સાથે જોડાયેલી વાસ્તુ ટિપ્સ.
જુતા-ચપ્પલ સાથે જોડાયેલા વાસ્તુ ટિપ્સ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે ઘરમાં જૂતા-ચપ્પલ અસ્ત વ્યસ્ત હોય છે. ત્યાં શનિનો અશુભ પ્રભાવ રહે છે. હકીકતે શનિનો સંબંધ પગ સાથે પણ હોય છે. એવામાં પગ સાથે સંબંધ ધરાવતી વસ્તુઓ યોગ્ય સ્થાન પર રાખવી જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની બહાર અવ્યવસ્થિત રીતે જૂતા-ચપ્પલ રાખવાથી નેગેટિવ એનર્જી એક્ટિવ થઈ જાય છે. એવામાં તેને હંમેશા કોઈ ખુણામાં વ્યવસ્થિત રીતે રાખવું જોઈએ.
વારંવાર ઉપયોગમાં લેવામાં આવતા જૂતા-ચપ્પલોને પશ્ચિમ દિશામાં વ્યવસ્થિત રીતે રાખવા જોઈએ. જુના જૂતા-ચપ્પલ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તે ઉપરાંત માનસિક અને આર્થિક પરેશાનીઓ ઘરથી જવાનું નામ નથી લેતી.
જૂતા ચપ્પલના રેન્કને પણ ક્યારેય પૂજા ઘર કે કિચનની દિવસથી અડાવીને ન મુકવું જોઈએ. સાથે જ ઘર પૂર્વ દિશા, ઉત્તર દિશા અથવા આગ્રેય કોણ અને ઈશાન કોણમાં જૂતા ચપ્પલના ખાનાને ન રાખવું જોઈએ. તેના માટે ઉત્તર-પશ્ચિમ અથવા દક્ષિણ પશ્ચિમની દિશા ઉત્તમ માનવામાં આવે છે.
ઘરમાં જો જૂતા ચપ્પલ વિખેરાયેલા પડ્યા છે તો ઘરના સદસ્યોનો પરસ્પર સંબંધ ખરાબ થવા લાગે છે. ત્યાં જ બેડની નીચે જૂતા-ચપ્પલ મુકવાથી સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે.