હનુમાનજીની કૃપા હંમેશા ભક્તો પર રહે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક ઉપાય છે જે કરવાથી પવનપુત્રની કૃપા હંમેશા રહે છે. બધા જ કામ શાંતિથી પૂર્ણ થાય છે.
હનુમાન જયંતિના દિવસે કરો ઉપાય
જૂની માન્યતાઓ લાવો અમલમાં
બધા જ દુઃખ થઇ જશે દૂર
હનુમાનજીની મૂર્તિ
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો પરિવારનુ માન સન્માન અને ઉન્નતી જોઇએ તો હનુમાન જયંતિના દિવસે ઘરમાં સૂર્યની ઉપાસના કરતા હનુમાનજીની તસવીર લઇ આવો. નિયમિત હનુમાનજીની પૂજા કરવી જોઇએ. આવુ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને બધા જ કામ પૂર્ણ થાય છે. જ્યારે પણ કોઇ જરૂરી કામ માટે બહાર જાઓ ત્યારે ભગવાનની મૂર્તિને નમન કરીને નીકળો. મનમાં જ પોતાના કાર્યો પૂર્ણ થવાની કામના કરો તો બધુ જ હનુમાનજીની કૃપાથી થઇ જશે.
આ દિશામાં રાખો મૂર્તિ
માન્યતા છે કે જે ઘરમાં ઉત્તરમુખી અને દક્ષિણમુખી હનુમાનજીની પૂજા કરવામાં આવે છે તે ઘરમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો આશીર્વાદ મળે છે અને સાથે જ અસમય મૃત્યુ અને દુર્ઘટના વગેરેનું સંકટ પણ દૂર થાય છે. આવામાં ઘરમાં સુખ શાંતિ અને પ્રેમનો વાસ હોય છે. બધા કલેશ, વિવાદ, માનસિક અશાંતિથી મુક્તિ મળી જાય છે. હનુમાન જયંતિના દિવસે પવનપુત્રની પ્રતિમા લાવો અને પહેલાથી જો ઘરમાં મૂર્તિ હોય તો તેને દક્ષિણ દિશા તરફ મુકી દો.
આ કરવાથી પણ થશે લાભ
માન્યતા છે કે જે ઘરમાં હનુમાનજીની આવી મૂર્તિ હોય કે જેમાં ભગવાન શ્રી રામની સેવામાં હનુમાનજી લીન હોય તો તે ઘરમાં કોઇ પણ વસ્તુની કમી આવતી નથી. પ્રેમ ભાવના, સુખ શાંતિ, ધન ધાન્યથી ઘર હંમેશા મજબુત રહે છે. હનુમાનજીની આરાધના કરવી જોઇએ.