મીઠાંના પાણી વિશે વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાય જણાવવામાં આવ્યાં છે, જેનાથી મનુષ્યના જીવનમાં આવી રહેલી અનેક પ્રકારની મુશ્કેલીમાંથી છૂટકારો મળી શકે છે.
વાસ્તુ અને જ્યોતિષમાં જણાવેલા મીઠાંના પાણીના આ ઉપાય કરો
જીવનમાં આવતી અનેક પ્રકારની મુશ્કેલીમાંથી મળશે છૂટકારો
ઘરમાં ક્યારેય આર્થિક પરેશાની આવશે નહીં
મીઠુ ઘણી અન્ય સમસ્યાઓના નિવારણ માટે ઉપયોગમાં લઇ શકાય
પ્રાચીન કાળથી મીઠાંનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. આજના સમયમાં આપણે મીઠાં વગર કદાચ જ ભોજન કરી શકીએ. ભોજનનો સ્વાદ વધારવા ઉપરાંત મીઠુ ઘણી અન્ય સમસ્યાઓના નિવારણ માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ ઘરની નકારાત્મકતાને પૂરી કરવા માટે મીઠાના ઘણા ઉપાયો અંગે જણાવવામાં આવ્યું છે. ઘણી વખત લોકોને સખત પરિશ્રમ કર્યા બાદ પણ તેઓને તેમના પરિશ્રમનુ પુરું ફળ મળતુ નથી અને રૂપિયા કમાવવામાં અનેક પ્રકારની પરેશાની ઉભી થાય છે. જેનાથી માણસ આર્થિક રીતે નબળો થાય છે.
વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ મુજબ આ બધી સમસ્યાઓને મીઠાના ઉપાયો દ્વારા દૂર કરી શકાય છે. આ વિષયમાં વધુ માહિતી નિષ્ણાંત જ્યોતિષની સલાહ મુજબ જાણીએ.
ધન લાભનો ઉપાય
ઘણી વખત કેટલાંક લોકોને અચાનક ધન હાનિ થાય છે. જેનાથી તેમની આર્થિક સ્થિતિ બગડવા લાગે છે. એવામાં એક કાચના ગ્લાસમાં પાણી લઇને તેમાં એક ચમચી મીઠુ નાખીને પોતાના ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં મુકી દો. જ્યારે પાણી સંપૂર્ણ રીતે સુકાઈ જાય તો આ ક્રિયાને ફરીથી દોહરાવો. આ ઉપાયને તમે દર મંગળવાર અથવા રવિવારના દિવસે કરી શકો છો. માન્યતા મુજબ આમ કરવાથી ઘરમાં ક્યારેય આર્થિક પરેશાની આવતી નથી.
દેવામાંથી મુક્તિનો ઉપાય
ઘણી વખત દેવાનો બોજ એટલો વધી જાય છે કે તેનાથી છૂટકારો મેળવવો એટલો સરળ હોતો નથી. એવામાં જો મીઠાનો ઉપાય કરવામાં આવે તો થોડા સમયમાં દેવામાંથી મુક્તિ મળી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિને દેવામાંથી મુક્તિ માટે દર રવિવારે ઘરમાં મીઠાના પાણીના પોતા મારવા જોઈએ. આ ઉપાયને લગભગ 3 મહિના સુધી કરવુ જોઈએ. માન્યતા મુજબ આમ કરવાથી મોટા દેવામાંથી છૂટકારો મળી જાય છે.
ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવાનો ઉપાય
જો તમને એવુ લાગે છે કે તમારા ઘરમાં નકારાત્મકતા વધી રહી છે તો તમે એક કાચના ગ્લાસમાં 2 ચમચી મીઠુ નાખી ગ્લાસને પોતાના ઘરના બાથરૂમના ખૂણામાં મુકી દો અને આ ઉપાયને દર ત્રીજા દિવસે રિપીટ કરો. આમ કરવાથી થોડા સમયમાં તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. આ સાથે નકારાત્મક ઉર્જામાંથી મુક્તિ મળશે.