હિંદુ ધર્મમાં ઘરમાં કાચબો રાખવાનું શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ઘરમાં કાચબો રાખવાથી પરિવારના લોકો પર સકારાત્મક પ્રભાવ પડે છે.
નસીબને વેગ આપશે આ વાસ્તુ ટિપ્સ
ઘરમાં રાખી લો કાચબો અને જુઓ પરિણામ
કાચબાનો ભગવાન વિષ્ણુનું રૂપ માનવામાં આવે છે
હિંદુ ધર્મમાં ઘરમાં કાચબો રાખવાનું શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ઘરમાં કાચબો રાખવાથી ઘરના લોકો પર સકારાત્મક પ્રભાવ રહે છે. સુખ શાંતિ કાયમ રહેવાની સાથે પરિવારના લોકોની ઉંમર વધે છે. કાચબો ભગવાન વિષ્ણુનું રૂપ માનવામાં આવે છે. આ માટે માનવામાં આવે છે કે કાચબો રાખવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. એટલું નહીં બિઝનેસમાં પણ કાચબો રાખવાથી સારું પરિણામ મળે છે. ઓફિસમાં સકારાત્મક વાતાવરણ રહે છે, પરંતુ આ સાથે કાચબાને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તેનાથી સારા પરિણામ મળે છે. વાસ્તુ અનુસાર માટી, ક્રિસ્ટલ, ધાતુના કાચબા રાખવાનું શુભ માનાવમાં આવે છે. તો જાણો 10 ખાસ લાભ વિશે.
જો કોઈ વ્યક્તિને રૂપિયા સંબંધી તકલીફ છે તો ઘરમાં કાચબો રાખવાથી લાભ થશે. આ પરિસ્થિતિમાં ક્રિસ્ટલ કાચબો તમારી મદદ કરશે. ધનની સાથે ઘરમાં પરિવારના લોકોની ઉંમર લાંબી કરે છે અને અનેક બીમારીઓમાં પહેલાથી દૂરી બનાવી રાખે છે.
નોકરી કે એક્ઝામમાં સફળતા મેળવવા માટે કાચબાને સાથે રાખો. તે શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી ઘરને નજર લાગતી નથી અને સુખ તથા શાંતિ બની રહે છે.
જો તમે કોઈ નવા બિઝનેસની શરૂઆત કરી રહ્યા છો તો ઓફિસમાં ચાંદીનો કાચબો રાખો. ઘરમાં કાચબાની હાજરીથી ઉતાર ચઢાવની સ્થિતિ ઓછી રહે છે અને જીવનમાં ઉર્જાનો પ્રવાહ બની રહે છે.
કાચબાના લાભ મેળવવા માટે તેને યોગ્ય જગ્યાએ રાખવો જરૂરી છે. તેને 4 દિવ્ય જીવમાં એક માનવામાં આવે છે. કાળો કાચબો ઉત્તર દિશા, ગ્રીન ડ્રેગન કાચબો પૂર્વ દિશા, રેડ ફિનિક્સને દક્ષિણ દિશા અને સફેદ ચિત્તાને પશ્ચિમ દિશામાં રાખવો. વાસ્તુના અનુસાર આ 4 વસ્તુઓ કોઈપણ દિશામાં વ્યક્તિની જિંદગીમાં ઉર્જાના પ્રવાહને નિયંત્રિત રાખે છે.
ઓફિસ કે ઘરમાં પાછળના ભાગમાં કાચબાને રાખવાથી વધારે ઉર્જાનો પ્રવાહ રહે છે અને પોતાનું કાર્ય સારી રીતે કરી શકાય છે.
કરિયરમાં ખૂબ તરક્કી માટે કાળા રંગનો કાચબો પસંદ કરો. તેને ઉત્તર દિશામાં રાખવાથી શુભ પરિણામ મળે છે. અહીં ઉર્જાનો પ્રવાહ વધવાથી તરક્કી થાય છે.
ઘરના પ્રવેશદ્વારની પશ્ચિમ દિશામાં કાચબો રાખવાથી સુરક્ષા મળે છે.
સંતાન પ્રાપ્તિ માટે ઘરમાં માદા કાચબો રાખો જેની પીઠ પર બાળકનું નિશાન હોય. આ કાચબો દંપતિને સંતાન સુખ આપવામાં શુભ માનવામાં આવે છે.
પરિવારના સભ્યોની વચ્ચે તાલમેલ અને પ્રેમ બની રહે તે માટે લિવિંગ રૂમમાં કાચબો રાખી શકાય છે. એટલું નહીં ક્રિસ્ટલના બનેલા કાચબાને દક્ષિણ- પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમમાં રાખો. લાકડાના કાચબાને પૂર્વ દિશા કે દક્ષિણ પૂર્વમાં રાખવું યોગ્ય રહેશે.
માટીના બનેલા કાચબાને ઉત્તર પૂર્વ દિશા, મધ્ય કે દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવો. ધાતુથી બનેલા કાચબાને ઉત્તર પશ્ચિમ દિશામાં રાખી શકાય છે. મિશ્રિત ધાતુના કાચબાને ઉત્તર દિશામાં રાખવાનું શુભ માનવામાં આવે છે.