પોપટ શબ્દ મગજમાં આવતા બુદ્ધીમાન અને અવાજને કૉપી કરનારા પક્ષીની તસ્વીર ઉભરીને સામે આવી જાય છે. ઘણા લોકો ઘરમાં શોખથી પોપટ પાળે છે. જો કે, તેમને આ ખબર નથી હોતી કે વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ પોપટને શુભ માનવામાં આવે છે.
ઘરમાં પોપટ પાળવાથી દૂર થાય છે ઘણા દોષ
રાહુ-કેતુ અને શનિની ખરાબ નજર ઘર પર પડતી નથી
વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ પોપટ મનાય છે શુભ
પોપટને હંમેશા ઘરની પૂર્વ-ઉત્તર દિશામાં રાખવો જોઈએ
જેનાથી ઘણા પ્રકારના દોષ પણ સમાપ્ત થાય છે. એવામાં આવો જાણીએ કે પોપટ પાળતી સમયે કઈ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ. જો કોઈ પોપટ પાળવા માગે છે તો તેને રાખવા માટે દિશાઓનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. પોપટને હંમેશા ઘરની પૂર્વ-ઉત્તર દિશામાં રાખવો જોઈએ. આ દિશા પોપટને રાખવાની દ્રષ્ટિએ અત્યંત શુભ માનવામાં આવે છે.
પોપટ પાળવાથી સકારાત્મક એનર્જીનો સંચાર થાય છે
ઘરમાં પોપટ પાળવાથી સકારાત્મક એનર્જીનો સંચાર થાય છે. જેનાથી બિમાારીઓનુ જોખમ ઓછુ થાય છે અને લોકોને નિરાશાના ભાવથી બહાર આવવામાં સહાયતા મળે છે.
પોપટ પાળવાથી અકાલ મૃત્યુ થતી નથી
ઘરમાં પોપટ પાળવાથી અકાલ મૃત્યુ થતી નથી. જેનાથી ઘરની દરિદ્રતા દૂર કરવામાં મદદ મળે છે. જો ઘરમાં પોપટની ફોટો લગાવો છો તો તેનાથી રાહુ-કેતુ અને શનિની ખરાબ નજર ઘર પર પડતી નથી.
ઘરમાં પોપટ પાળો તો હંમેશા ખુશ રાખો
ઘરમાં પોપટ પાળો તો હંમેશા તેને ખુશ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. વાસ્તુની દ્રષ્ટિએ પોપટને પિંજરામાં ખુશ રાખવો જોઈએ. જો પોપટ નારાજ થાય તો ઘરમાં નકારાત્મક અસર થવા લાગે છે.