વાસ્તુ શાસ્ત્રમાં ભોજન પીરસવાથી લઇને ભોજન ખાવા સુધીના નિયમ જણાવવામાં આવ્યાં છે. ખાસ કરીને રોટલી પીરસતી વખતે અમુક વાતોનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ. જેનાથી અન્નની દેવી માં અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે.
રોટલી આપતી વખતે આ વાતોનુ ધ્યાન રાખો
અન્નની દેવી માં અન્નપૂર્ણા થશે પ્રસન્ન
અન્ન અને ધનમાં થશે વધારો
ભોજન પીરસતી વખતે આ બાબતોનુ રાખો વિશેષ ધ્યાન
વારંવાર આપણે મોટા-વડીલો પાસેથી કહેતા સાંભળ્યું હશે કે જમતી વખતે બોલવુ ના જોઈએ. હંમેશા બેસીને ખાવુ જોઈએ. પરંતુ આજના ભાગદોડભર્યા જીવનમાં આપણે આ બાબતોની અવગણના કરીએ છીએ. જે આપણી પર ભારે પડી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ ભોજન પીરસવાથી લઇને ખાવા સુધીના નિયમ જણાવવામાં આવ્યાં છે. ભોજન પીરસતી વખતે અમુક બાબતોનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ. નહીંતર ઘરમાં દરિદ્રતા, આર્થિક સંકટ છવાય છે.
રોટલી આપવાના નિયમ
વાસ્તુ શાસ્ત્ર મુજબ, રોટલી આપતી વખતે આ વાતનુ ધ્યાન રાખવુ જોઈએ કે હંમેશા થાળીમાં રોટલી લઇને જાઓ. સ્વચ્છ હાથથી રોટલી આપો. રોટલી પૂરી થયા બાદ બીજી રોટલી થાળીમાં લઇને જવુ જોઈએ. જેનાથી અન્નની દેવી માં અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય પણ અન્ન અને નાણાની કમી થતી નથી. તો હાથમાં રોટલી લઇને જવુ શુભ માનવામાં આવતુ નથી. જેનાથી પરિવારમાં ઝઘડા ઉત્પન્ન થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે.
વાસી લોટનો ઉપયોગ ન કરશો
વારંવાર જોવામાં આવ્યું છે કે સવારે વધેલો અથવા રાત્રે વધેલો લોટ બાદમાં ઉપયોગમાં લેવાય છે. તેને ફ્રીજમાં રાખી દેવામાં આવે છે અને બાદમાં આ લોટથી બીજા સમયની રોટલી બનાવવામાં આવે છે, જે યોગ્ય મનાતુ નથી. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે વાસી લોટની રોટલી બનાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. જેના કારણે પરિવારના સભ્યોની વચ્ચે તણાવનો માહોલ રહે છે.
ત્રણ રોટલી ના મુકવી જોઈએ
શાસ્ત્રો મુજબ, ભોજન આપતી વખતે થાળીમાં ત્રણ રોટલી ના મુકવી જોઈએ. આમ કરવુ અશુભ માનવામાં આવે છે.