તમારી રિસ્ટ વોચ પણ તમારી કિસ્મત બદલી શકે છે. તેના માટે જરૂરી છે કે કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે.
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘડિયાળ પહેરવી જોઇએ
ઘડિયાળ ખોટી રીતે પહેરશો તો પસ્તાશો
જીવનભર તકલીફો સાથ નહી છોડે
વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક નિયમ છે જે તમારે ફોલો કરવા જોઇએ. જો તમે રિસ્ટ વોચ પહેરતી વખતે ધ્યાન નહી રાખો તો તમારા કામમાં અડચણો આવી શકે છે.
રંગને લઇને જાણો આ વાત
વાસ્તુ અનુસાર ગોલ્ડન અને સિલ્વર રંગની ઘડિયાળ સૌથી સારી માનવામાં આવે છે. કોઇ પણ જોબ ઇન્ટરવ્યૂમાં જાઓ તો આ બંને રંગની ઘડિયાળ જ પહેરવી જોઇએ.
તકિયા નીચે ન રાખો રિસ્ટ વોચ
સામાન્ય રીતે લોકો પોતાની ઘડિયાળ કાઢીને તકિયા નીચે મુકી દે છે પરંતુ ક્યારેય પણ ઘડિયાળને તકિયા નીચે ન રાખવી જોઇએ તેનાથી તમારા મગજમાં નેગેટિવીટી આવે છે સાથે જ ઉંઘથી જોડાયેલ સમસ્યા પણ થઇ શકે છે.
ફીટીંગવાળી ઘડિયાળ પહેરો
ક્યારેય પણ ઢીલા પટ્ટાવાળી ઘડિયાળ ન પહેરો. તેનાથી તમારું ધ્યાન એક તરફ કેન્દ્રિત નહી રહે. વાસ્તુ અનુસાર તમારે ફિટીંગવાળી ઘડિયાળ જ પહેરવી જોઇએ.
ઘડિયાળનું ડાયલ
રિસ્ટ વોચ પહેરતા સમયે ધ્યાન રાખો કે ઘડિયાળનું ડાયલ જરૂર કરતા મોટું ન હોય. આવું કરવાથી તમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં મુશ્કેલી વધી જશે. ઘડીયાળનો આકાર ગોળ કે ચોરસ હોય તો સૌથી સારું માનવામાં આવે છે.