વાસ્તુ શાસ્ત્રમાં દરેક દિશાનું અલગ-અલગ મહત્વ છે. વાસ્તુ મુજબ, ઉત્તર-પશ્ચિમ દિશા સાથે જોડાયેલો વાસ્તુ દોષ ખૂબ જ ખતરનાક હોય છે. આ દિશામાં વાસ્તુ દોષ થવાથી ઘરમાં ક્યારેય પણ સકારાત્મક ઉર્જાનો વાસ થતો નથી. ખરેખર આ દિશા સાથે વાયુ દેવતાનો સંબંધ હોય છે. આવો જાણીએ છીએ વાયવ્ય કોણ (ઉત્તર-પશ્ચિમ દિશા) સાથે જોડાયેલી ખાસ વાસ્તુ ટિપ્સ.
વાસ્તુ શાસ્ત્રમાં દરેક દિશાનું અલગ-અલગ મહત્વ
વાસ્તુ દોષ થવાથી જીવનમાં આવે છે નકારાત્મક ઉર્જા
જાણો ઉત્તર-પશ્ચિમ દિશા સાથે જોડાયેલી ખાસ વાસ્તુ ટિપ્સ
ઉત્તર-પશ્ચિમ દિશાના વાસ્તુ ટિપ્સ
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘર અથવા બિઝનેસ પ્લેસનો વાયવ્ય કોણ એટલેકે ઉત્તર-પશ્ચિમની દિશાનો ભાગ થોડો કપાયેલો છે અથવા બીજી દિશાઓની સરખામણીએ ઓછો પહોળો હોય તો તે ભાગની દીવાલમાં લગભગ 4 ફૂટ પહોળો અરીસો લગાવવાથી પણ લાભ મળી શકે છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઉત્તર-પશ્ચિમનો ભાગ શૌચાલય, સ્ટોર-રૂમ, સ્નાનઘર અથવા બાથરૂમ બનાવવા માટે સૌથી જરૂરી માનવામાં આવે છે. ખરેખર સાંજના સમયે સૂર્યની ગરમીમાંથી ઘરના અન્ય ભાગ બચે છે. તો આ ગરમી શૌચાલય અને સ્નાનઘરને શુષ્ક રાખવામાં મદદ કરે છે.
વાસ્તુ મુજબ ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં બેડરૂમ હોવો પતિ-પત્ની માટે સારું રહે છે. ખરેખર ઉત્તર-પૂર્વ દિશામાં દેવી-દેવતાઓનો વાસ હોય છે. આ જ કારણ છે કે બેડરૂમ ઉત્તર દિશામાં બનાવવાનું સુચન આપવામાં આવે છે.
વાસ્તુ મુજબ, ઉત્તર-પશ્ચિમ દિશા એટલેકે વાયવ્ય કોણ હવા સાથે સંબંધિત છે. એવામાં આ દિશામાં રંગરોગાન કરવા માટે સફેદ, હલ્કા સ્લેટી અને ક્રીમ કલરનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે આ દિશામાં પણ નોકરનો રૂમ હોવો જોઈએ. કુંવારી કન્યાઓ માટે ઉત્તર દિશાનો રૂમ સૌથી શુભ માનવામાં આવ્યો છે. જેના વિવાહ સંબંધિત યોગ મજબૂત હોય છે.