ઘરમાં કોઈ પણ નળમાંથી પાણી ટપકવુ એક સામાન્ય વાત છે. પરંતુ શું તમે જાણો છો, વાસ્તુ મુજબ પાણી ટપકવુ બિલ્કુલ પણ શુભ માનવામાં આવ્યું નથી.
ઘરમાં નળમાંથી પાણી ટપકતુ હોય તો બંધ કરાવી દેજો
વાસ્તુની દ્રષ્ટિએ નળમાંથી ટપકતુ પાણી મનાય છે અશુભ
માણસની આર્થિક સ્થિતિ પણ પ્રભાવિત થાય છે
જો તમારા ઘરમાં પણ આવુ થઇ રહ્યું છે, તો તેને સમય મુજબ સારું કરાવી દેવુ જોઈએ. નળમાંથી ટપકતુ પાણી વાસ્તુની દ્રષ્ટિએ અશુભ માનવામાં આવ્યું છે. જેનો માણસના જીવન પર નકારાત્મક પ્રભાવ પડે છે. આ સાથે માણસની આર્થિક સ્થિતિ પણ પ્રભાવિત થાય છે.
ઘરમાં ટપકતા નળ આ રીતે નાખે છે પ્રભાવ
આર્થિક સ્થિતિ થાય છે ખરાબ
વારંવાર બાથરૂમ અથવા રસોડામાં લગાવવામાં આવેલા નળમાંથી ટપ-ટપ કરીને પાણી ટપકતુ રહે છે. જેનો આપણે મોટાભાગે નજર અંદાજ કરીએ છીએ. પરંતુ વાસ્તુ મુજબ આ નકારાત્મકતાનું કારણ બને છે. કામ વગર પાણી વહે તેને શુભ માનવામાં આવતુ નથી. એવી માન્યતા છે કે જો આ રીતે કારણ વગર ટપ-ટપ પાણી વહે છે તો તેનાથી ઘરના કામ વગરના ખર્ચમાં વધારો થાય છે. તેથી ખરાબ પાઈપ લાઈનને આવશ્ય સારી કરાવો. જેને કારણે પૈસાને પાણીની જેમ વહેતા રોકી શકાય.
વહેતુ પાણી આપે છે આ સંકેત
વાસ્તુ શાસ્ત્ર મુજબ નળમાંથી પાણી ટપકવુ આ વાત તરફ ઈશારો કરે છે કે ક્યાને ક્યાક ઘર અથવા વ્યાપારમાં વધુ નાણાનો ખર્ચ થઇ શકે છે. કુલ મળીને ધનની હાનિનો સંકેત આપે છે.