ઘરની સજાવટ માટે લોકો અલગ અલગ પ્રકારની મુર્તિઓ લાવે છે. પરંતુ તેને મુકવાના અમુક નિયમો છે. જાણો તેના વિશે....
ઘરની સજાવટ માટે આ ટિપ્સ કરો ફોલો
મુર્તિઓને વાસ્તુ પ્રમાણે ગોઠવો
જાણો કઈ મુર્તિ ઘરમાં લાવવી હોય છે શુભ
ઘરની સજાવટ માટે વિવિધ પ્રકારની ડેકોરેટિવ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આમાંની કેટલીક મૂર્તિઓ દેવી-દેવતાઓની હોય છે તો કેટલીક સુંદર જીવોની હોય છે. પરંતુ આ મૂર્તિઓ રાખતી વખતે વાસ્તુ ટિપ્સનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે ઘરમાં રાખવામાં આવતી ડેકોરેશનની મૂર્તિઓ પણ ઘરના વાસ્તુમાં મહત્વનો ભાગ ભજવે છે. જો ઘરમાં રાખવામાં આવેલી આ મૂર્તિઓનું ધ્યાન રાખવામાં ન આવે તો તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. આવો જાણીએ કઇ મૂર્તિઓ ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે.
હંસ
વાસ્તુ અનુસાર ઘરના ડ્રોઈંગ રૂમમાં હંસના જોડાની મૂર્તિઓ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી આર્થિક લાભ થાય છે અને બતકની જોડીની મૂર્તિ ઘરમાં રાખવાથી દાંપત્ય જીવનમાં સુખ આવે છે.
ગાય
વાસ્તુ નિષ્ણાતો કહે છે કે ઘરમાં પિત્તળની ગાયની મૂર્તિ રાખવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે. અને ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
કાચબો
કાચબાને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં કાચબો હોય છે. ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. વાસ્તુ અનુસાર કાચબાને ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવો જોઈએ. સાથે જ ડ્રોઈંગ રૂમમાં ધાતુનો કાચબો રાખવાથી ધનમાં વધારો થાય છે.
પોપટ
ઉત્તર દિશામાં પોપટની મૂર્તિ રાખવાથી પરિવારમાં સુખ-શાંતિ રહે છે. અને દામ્પત્ય જીવનમાં પણ ખુશીઓ જળવાઈ રહે છે. સાથે જ સૌભાગ્યમાં પણ વધારો થાય છે.
માછલી
માછલીને ધન અને ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં માછલી રાખવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. માછલી પિત્તળ અથવા ચાંદીની રાખી શકાય છે. તેનાથી ધનમાં વધારો થાય છે.