વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક વસ્તુ ખરીદવા માટે એક નિશ્ચિત દિવસ હોય છે. જો તે દિવસે અમુક વસ્તુઓની ખરીદી કરવામાં આવે તો તે શુભ ગણાય છે. આજે આપણે જાણીશું રસોડા માટે આદણી વેલણ ખરીદવાના નિયમો.
આદણી વેલણ ખરીદતી વખતે આ વાતોનું રાખો ધ્યાન
જાણો કયા દિવસે ખરીદવા જોઈએ આદણી વેલણ
વાસ્તુના નિયમ ફોલો કરવાથી નહીં થાય ધન હાની
રસોડામાં મુકવામાં આવતા આદણી વેલણ પણ ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવામાં મદદરૂપ થાય છે. રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જેનો ઉપયોગ વાસ્તુ અનુસાર કરવામાં આવે છે. દરેક વસ્તુનો ઉપયોગ કરવાના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે.
જો આ વસ્તુઓનો નિયમો અનુસાર ઉપયોગ ન કરવામાં આવે તો તે નુકસાનકારક બની શકે છે. એ જ રીતે રસોડામાં રોટલી બનાવવા માટે વપરાતી આદણી વેલણ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનો ઉપયોગ કરવાથી લઈને તેને ખરીદવા સુધીના નિયમો વિશે જણાવવામાં આવ્યું છે.
આદણી વેલણ ખરીદતી વખતે આ વાતનું રાખો ધ્યાન
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે આદણી વેલણ ખરીદવા માંગતા હોવ તો દિવસનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. વાસ્તુ નિષ્ણાંતો કહે છે કે મંગળવાર અને શનિવારે ભૂલથી પણ આદણી વેલણ ન ખરીદો. આ સિવાય કોઈપણ દિવસે ખરીદી શકાય છે.
જો કે અમે તમને જણાવી દઈએ કે આદણી વેલણ ખરીદવાનો સૌથી શુભ દિવસ બુધવાર છે. જો આ દિવસે ખાસ કરીને આદણી વેલણ ખરીદવામાં આવે તો વ્યક્તિને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
રસોડામાં આદણી વેલણ મુકતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તેને ક્યારેય ઊંધી ન રાખો. આમ કરવાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. આદણીને ઉભી અને વેલણને લટકાવીને જ રાખો.
આ સાથે ધ્યાન રાખો કે લોટ કે ચોખાના ડબ્બાની ઉપર આદણી વેલણ ન રાખો. આમ કરવું અશુભ માનવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે સૂતા પહેલા આદણી વેલણ સાફ કરીને જ સુવો. એવી માન્યતા છે કે ગંદા આદણી વેલણનો ઉપયોગ કરવાથી વ્યક્તિના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
આદણી વેલણ ખરીદતી વખતે ધ્યાન રાખો કે તેમાં કોઈ અવાજ ન આવે. કહેવાય છે કે અવાજ વાળા આદણી વેલણથી ઘરમાં અશાંતિનું વાતાવરણ થાય છે.
તૂટેલા આદણી વેલણનો ઉપયોગ ભૂલથી પણ ન કરો. કારણ કે તેનાથી ઘરમાં ગરીબી આવે છે. તેમજ ધનહાનિ થવાની સંભાવના વધી જાય છે.