પ્લૉટ ખરીદવો મોટી જવાબદારીનુ કામ હોય છે કારણકે પ્લૉટ અથવા જમીન ખરીદવામાં થયેલી વાસ્તુ સંબંધી કોઈ ભૂલ ભારે નુકસાન પહોંચાડી શકે છે.
જમીન ખરીદવામાં થયેલી વાસ્તુ સંબંધી કોઈ ભૂલ પહોંચાડશે નુકસાન
જમીન ખરીદતી વખતે આ બાબતો ફરજીયાત ધ્યાનમાં રાખો
જમીનના દક્ષિણ ભાગમાં કુવો હોવો ખૂબ જ ઘાતક હોઇ શકે
નુકસાન કરાવે છે આવી જમીન
આજે અમે તમને અમુક એવી વાતો અંગે જણાવીએ છીએ. જે પ્લોટ ખરીદતી સમયે ફરજીયાત ધ્યાનમાં રાખવી જોઈએ. નહીંતર આ પ્લોટ તમારા માટે નુકસાનકારક છે અને તેને વેચવામાં પણ ખોટ જાય છે. જમીનના દક્ષિણ ભાગમાં કુવો હોવો ખૂબ જ ઘાતક હોઇ શકે છે, આવી જમીનમાં આકસ્મિક દુર્ઘટનાઓ થાય છે અને ત્યાં રહેનારાની પાસે ક્યારેય રૂપિયા ભેગા થતા નથી. જમીનના જમણો ખૂણો હોવો સારું રહે છે. જમીનનો ઈશાન ખૂણો વધારે હોવો શુભ અને દક્ષિણ અને પશ્ચિમ વધારે હોવો અશુભ હોય છે.
આ દિશાની જમીન હોય તો ના લેવી
જમીનની આકૃતિઓમાં નૈઋત્ય એટલેકે દક્ષિણ-પશ્ચિમમાં વધેલા ખૂણાવાળી આકૃતિને અશુભ માનવામાં આવે છે. જ્યારે કોઈ જમીન ખરીદવા જાઓ તો આ વાતને ગાંઠ બાંધી લો કે દક્ષિણ દિશામાં જમીન ના લેવી. જો પહેલાથી જ આવી જમીન છે તો તેને છોડી દેવી જોઈ અથવા પછી આ દિશાને સમકોણ કરી લેવી જોઈએ. તેથી જે છોડેલી જમીન છે તેને આવશ્ય કોઈને દાનમાં આપી દેવી જોઈએ. કારણકે જમીનના આ ટુકડાને વેચવો પણ શાસ્ત્રમાં પ્રતિબંધિત જણાવવામાં આવ્યો છે. દક્ષિણના વધુ પડતા અગ્નેય, વાયવ્યમાં વધેલી જમીનને સમકોણ કરીને બાકી વધેલા ભાગને વેચી શકે છે.
જમીનનો ખૂણો કપાયો નથી
આ રીતે એવુ પણ સમજવુ જરૂરી છે કે જમીનનો કોઈ પણ ભાગ કપાયેલો તો નથી ને. જે રીતે ખૂણામાં વધારાથી સંબંધી દેવની શક્તિમાં વધારો થાય છે, તે જ રીતે ખૂણા કપાયેલા હોવાથી તેને સંબંધિત દેવોની શક્તિમાં ઘટાડો થાય છે. જો કોઈ ખૂણો કપાયેલો હશે તો જમીન ચાર ખૂણાવાળી નહી હોય અને આવી જમીન પર બાંધેલ વાસ્તુ શાસ્ત્રમાં નિંદનીય છે.