વાસ્તુ અને જ્યોતિષનો એક બીજા સાથે અનોખો સંબંધ છે. જ્યોતિષ અને વિજ્ઞાન તેમજ ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે કેટલીક વાર આપણને સારી અને ખરાબ વાઇબ્સ આવે છે. નેગેટીવ એનર્જી આપણા જીવન પર ખરાબ પ્રભાવ પાડે છે. વાસ્તુમાં કેટલાક ઉપાય છે જે આસપાસની નેગેટીવીટીને દૂર કરશે.
નેગેટીવ એનર્જી દૂર કરવાના ઉપાય
વાસ્તુશાસ્ત્ર દૂર કરશે તમારો તણાવ
ઘરમાં થતી ભૂલોને કરો ઇગ્નોર
પૂર્વ દિશામાં બારીઓ
પૂર્વ દિશામાં બારીઓ રાખવી જોઇએ જેનાથી સૂર્યની કિરણો વધુ ને વધુ ઘરમાં પ્રવેશી શકે. સૂર્યને આત્મા અને જીવનનો આધાર માનવામાં આવે છે. માટે સૂર્યપ્રકાશથી ઘરમાં રહેલી નેગેટીવીટી દૂર થાય છે.
ઉત્તર પૂર્વમાં ન હોવો જોઇએ મુખ્ય દ્વાર
ઉત્તર-પૂર્વમાં ક્યારેય મુખ્ય દ્વાર ન રાખવો જોઇએ, મુખ્ય દ્વાર પાસે સીડીઓ ન હોવી જોઇએ. તેનાથી નેગેટીવ એનર્જી આવે છે અને ઘરમાં સીડીઓનું યોગ્ય દિશામાં હોવું સૌથી મહત્વનું છે.
ગુરુની દિશા
ઘરમાં પૂજાનું સ્થળ ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જરૂરી માનવામાં આવ્યું છે. આ દિશામાં ગુરુનું આધિપત્ય હોય છે માટે આ દિશમાં ઉર્જાનો ભંડાર હોય છે. આ સ્થળ પર પૂજા ઘર હોવાથી લાભ થાય છે.
જૂતાની યોગ્ય જગ્યા
ઘરના પ્રવેશ દ્વાર માટે ઉત્તર પૂર્વ દિશાને શુભ માનવામાં આવી છે અને તે બંને દિશામાં શૂ રેક રાખવું ખુબ જ દોષપૂર્ણ માનવામાં આવ્યું છે. આવું કરવાથી નેગેટીવ એનર્જી ઘર તરફ આકર્ષિત થાય છે.
મંદિરમાં ભગવાનની તસવીરો
મંદિરમાં ભગવાનની તસવીરોની દિશા પૂર્વ હોવી જોઇએ, પૂજા કરતી વખતે પૂર્વાભિમુખ થઇને બેસવું જોઇએ તેનાથી નેગેટીવ એનર્જીનો નાશ થાય છે અને પોઝીટીવ એનર્જીનો પ્રવેશ થાય છે.