આજે આપણે કંઈક એવા જ કામો અને વસ્તુઓ વિશે જાણીએ જેને સવારે કરવા અશુભ માનવામાં આવે છે. તમે તમારા દિવસને શાનદાર બનાવવા માંગો છો તો સવારના સમયે આ કામ ક્યારેય ન કરો.
સવારે ઉઠતાની સાથે જ ન કરો આ કામ
સૌભાગ્ય ફેરવાઈ જશે દુર્ભાગ્યમાં
થઈ શકે છે વાસ્તુ દોષ
જો સવારની શરૂઆત સારી થાય તો આખો દિવસ સારો જાય છે. બધા કામ સારા થાય છે. ત્યાં જ જો સવારે કોઈ અશુભ વસ્તુ આંખોની સામે આવી જાય તો આખો દિવસ બર્બાદ થઈ જાય છે. આજે આપણે કંઈક એવા જ કામો અને વસ્તુઓ વિશે જાણીએ જેને સવારે કરવા અશુભ માનવામાં આવે છે. એટલે કે તમારા દિવસને શાનદાર બનાવવા માંગો છો તો સવારના સમયે આ કામ ક્યારેય ન કરો.
અરીસો જોવો
ક્યારેય સવારે ઉઠતાની સાથે જ અરીસો ન જોવો. ઘણા લોકો સવારે ઉઠતા જ અરીસો જોવે છે વાળ ઓળે છે. જ્યારે આવું કરવું યોગ્ય માનવામાં આવતું નથી. તેનાથી નકારાત્મકતા વધે છે. યોગ્ય રહેશે કે સવારે ઉઠતા જ તમારી હથેળી જુઓ. પછી મોઢુ હાથ થોવો ત્યાર બાદ વાળ ઓળો અને અરીસો જોવો.
એંઠા વાસણો
સવારે ઉઠતા જ એંઠા વાસણો પર નજર કરવી ખરાબ માનવામાં આવે છે. તેથી રાત્રે કિચન હંમેશા સાફ કરીને સુવો. એંઠા વાસણ જોવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને આખો દિવસ ખરાબ જાય છે.
બંધ ઘડીયાળ
સવારે જાગતા જ બંધ ઘડીયાળ જોવી શુભ માનવામાં આવતી નથી. આમ તો ઘરમાં બંધ ઘડીયાળ મોટો વાસ્તુ દોષ ઉભો કરે છે. એવામાં તેનાથી બચો. જો અચાનક ઘડીયાળ બંધ થઈ જાય તો તેને ઉંધી કરીને મુકી દો.
હિંસક જાનવરોની તસવીર
ઘરમાં હિંસક જાનવરોની તસવીર કે મૂર્તિ રાખવી જ ન જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર હિંસક જાનવરોની તસવીર ઘરમાં અશાંતિ અને કલેશ વધારે છે. ત્યાં જ સવારે તેમનું દેખાવો આખો દિવસ ખરાબ કરી શકે છે.
ડસ્ટબિન
સવારે જાગતા જ ડસ્ટબિન અથવા કચરાનો ઢગલો જોવો યોગ્ય નથી માનવામાં આવતો. યોગ્ય રહેશે કે તમે જાગતા જ બન્ને હથેળીના દર્શન કરો. ફરી મોઠુ ધોવો અને ત્યાર બાદ રોજબરોજનું કામ કરો.