મની પ્લાન્ટની સાથે સારી વાત એ છે કે તેની વધારે સારસંભાળ કરવી પડતી નથી અને આ સરળતાથી લાગી પણ જાય છે. મની પ્લાન્ટના ઘણા ફાયદા હોય છે.
ઘરમાં છે મની પ્લાન્ટ તો બાંધો લાલ દોરો
નાણા સંબંધી સમસ્યાઓ થોડા સમયમાં થશે દૂર
યોગ્ય દિશામાં રાખવાથી શુક્ર ગ્રહનો દુષ્પ્રભાવ પડતો નથી
મની પ્લાન્ટનો છોડ લગાવવાથી નાણા સંબંધી સમસ્યાઓ થશે દૂર
મની પ્લાન્ટ એક એવો છોડ હોય છે, જે સામાન્ય રીતે દરેક ઘરમાં હોય છે. લોકો તેને ઘરની અંદર અથવા બાલકનીમાં લગાવવાનુ પસંદ કરે છે. અમુક લોકો તેને ઑફિસમાં પણ રાખે છે. વાસ્તુમાં મની પ્લાન્ટને લઇને ઘણા ઉપાયો અંગે જણાવવામાં આવ્યું છે. ઘરે મની પ્લાન્ટનો છોડ લગાવવાથી નાણા સંબંધી સમસ્યાઓ દૂર થાય છે, કારણકે મની પ્લાન્ટનો સંબંધ શુક્ર ગ્રહ સાથે હોય છે. જે ઘરમાં મની પ્લાન્ટ યોગ્ય દિશામાં રાખવામાં આવ્યા હોય ત્યાં શુક્ર ગ્રહનો દુષ્પ્રભાવ પડતો નથી અને સુખ-સમૃદ્ધીનો વાસ થાય છે.
લાલ રંગનો દોરો બાંધવો મનાય છે શુભ
વાસ્તુ મુજબ મની પ્લાન્ટના છોડમાં લાલ રંગનો દોરો બાંધવો શુભ હોય છે. જો કોઈને ધનની સમસ્યામાંથી છૂટકારો મેળવવો હોય અને તાત્કાલિક પ્રગતિ કરવી હોય તો શુક્રવારના દિવસે મની પ્લાન્ટના છોડમાં લાલ રંગનો દોરો બાંધી લો.
અમુક નિયમોનુ ફરજીયાત પાલન કરો
મની પ્લાન્ટમાં લાલ દોરો બાંધતી વખતે અમુક નિયમોનું પાલન કરવુ જરૂરી હોય છે. તમે શુક્રવારના દિવસે સવારે ન્હાયા બાદ માં લક્ષ્મીની પૂજા કરો અને અગરબતી પ્રગટાવો. જે દોરાને તમે મની પ્લાન્ટમાં બાંધવાના છો તેને માં લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો. પછી માંની આરતી કરો અને લાલ દોરા પર કંકુ લગાવો. હવે આ દોરાને મની પ્લાન્ટના મૂળની ચારે તરફ બાંધી દો. આ ઉપાય કર્યાના થોડા દિવસ બાદ તમને તેના લાભ દેખાવા માંડશે.