માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે આપણે વ્રત ઉપવાસ કરતા હોઇએ છીએ પરંતુ તમને ખબર છે કે ફ્રીજના ઉપયોગમાં પણ ધ્યાન રાખવું પડે છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરો ફ્રીજનો ઉપયોગ
લક્ષ્મીજીની કૃપા વરસી પડશે
યોગ્ય ફ્રીજના ઉપયોગથી પૈસાનો વરસાદ થઇ જશે
ફ્રીજ વિજળીથી ચાલે છે અને અંદર ઠંકડ રહે તેના માટે બહારનું તાપમાન વધે છે. ફ્રીજ કોઇ દિવસ બેડરૂમમાં ન રાખવું જોઇએ. તેનાથી ઉંઘ અને શામતિ બંનેમાં દોષ આવી જાય છે. દાંપત્ય જીવનનું માધુર્ય પણ પ્રભાવિત થાય છે.
ક્યાં રાખશો ફ્રીજ
ફ્રીજને રસોડામાં વાયવ્ય ખૂણામાં રાખો. તેનાથી ઉત્સર્જીત થનારી ગેસ વાયવ્ય ખૂણામાં જઇને અપ્રભાવી થઇ જાય છે. ફ્રીજમાં ક્યારેય રાંધેલુ ભોજન તેમાં પણ ખાસ રોટલી અને ભાત રાખવાથી બચો. ફળ, શાકભાજી, સુકા મેવા અને સામાન્ય દવાઓ જ રાખો.
લોટ ન રાખશો
રાત્રે વધેલો લોટ ફ્રીજમાં ન રાખશો,સાંજે બનેલા ભોજનમાં યથાસંભવ વસ્તુઓ પ્રયોગમાં લો અને બચેલી વસ્તુઓને જરૂરિયાતમંદ લોકોને આપી દો. ફ્રીજમાં લોટ રાખવાથી મગજ પર પ્રભાવ પડે છે. મહાલક્ષ્મીજીની કૃપાથી આવા ઘર વંચિત રહી જાય છે. ફ્રીજને ઘરના મધ્યમાં રાખો.
શું તકલીફ થશે
ફ્રીજમાં લોટ રાખવાથી બાળકોના અભ્યાસ પર ખરાબ અસર પડે છે. મોટા લોકોની સૃજનાત્મક ક્ષમતાઓ પ્રભાવીત થાય છે.
ફ્રીજમાં પીવાનું પાણી ન રાખો, તેની જગ્યાએ ઘડાનો ઉપયોગ કરો કારણકે ફ્રીજનુ પાણી વિદ્યુતના પ્રયોગથી પ્રભાવિત થાય છે. તેનાથી તે સ્વાસ્થ્ય વર્ધક નથી રહેતું, જેટલુ તે સામાન્ય પાત્રમાં રહે છે.
ફ્રીજનો આકાર પણ ઘરની તુલનામાં સંતુલિત રાખો. નાનુ ઘર હોય તો તેમાં મોટુ ફ્રીડ શુભકર નથી હોતું. પ્રયાસ કરો કે જરૂરિયાત અનુસાર જ તેને ખરીદો.