મહિલા હોય કે પુરુષ પર્સ દરેક વ્યક્તિ રાખે છે. તેમાં પૈસા ટકી રહે તે માટે કેટલાક ઉપાય વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવ્યા છે પરંતુ જો આ વસ્તુઓ રાખશો તો પૈસા ક્યારેય નહી ટકે.
પર્સમાં ક્યારેય ન રાખશો આ વસ્તુઓ
હંમેશા રહેશે આર્થિક તંગી
વાસ્તુ ટિપ્સ ફોલો કરવાથી થશે ફાયદો
જૂના બિલ
સામાન્ય રીતે લોકો પૈસા સિવાય ઘણી વસ્તુઓ પર્સમાં રાખતા હોય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ વસ્તુઓને અશુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે ખરીદી કરીને તે બિલ પણ પર્સમાં જ રાખી લેતા હોઇએ છીએ પરંતુ આવું કરવાથી ધનહાનિ થાય છે.
ભગવાનનો ફોટો
પર્સમાં ક્યારેય ભગવાનનો ફોટો કે કાગળ ન રાખવું જોઇએ જેના પર ભગવાનની તસવીર હોય. આવું કરવાથી ઉધાર વધતો જાય છે. જો તમારા પર્સમાં પણ ભગવાનનો ફોટો હોય તો હાલ જ દૂર કરી દેજો.
મૃત પરિજનોની તસવીર
પર્સમાં ક્યારેય મૃત પરિજનોની તસવીર ન રાખવી જોઇએ. ઘણા લોકો પોતાના મૃત સ્વજનોની યાદમાં પોતાના પર્સમાં તસવીર રાખતા હોય છે પરંતુ તેવું ન કરવું જોઇએ. આવું કરવાથી વાસ્તુદોષ થાય છે.
bઘણા લોકો પોતાના પર્સમાં ચાવી રાખે છે પરંતુ આવું કરવું અશુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર પર્સમાં કોઇ પણ પ્રકારના ધાતુની વસ્તુ રાખવાથી નકારાત્મકતા આવે છે. જેનાથી ધનહાનિ થાય છે.
આ વાતોનું રાખો ધ્યાન
પર્સમાં કોઇ પણ રીતે પૈસા રાખી લેવામાં આવે છે પરંતુ પહેલા મોટીનોટ બાદમાં નાની નોટ રાખવી જોઇએ. પર્સમાં નોટ અને સિક્કા ક્યારેય એકસાથે ન રાખવા જોઇએ.