સામાન્ય રીતે લોકો પૈસા ઉધાર લેતા બચતા હોય છે પરંતુ જ્યારે જરૂર પડે અને કોઇ રસ્તો ન હોય તો ઉધાર લઇ જ લેતા હોય છે.
દેવાદાર થઇ ગયા છો ?
મહેનત કરવા છતાં નથી ઉતરતું દેવુ?
વાસ્તુ પ્રમાણે ઘરમાં કરો ફેરફાર
ઘણીવાર એવી પરિસ્થિતિ ઉભી થાય કે પૈસા ઉધાર લીધા બાદ તેમાંથી છૂટકારો જ ન મળે. તમે ગમે તેટલી મહેનત કરો પરંતુ પૈસાનું દેવુ ઉતરવાનુ નામ જ ન લે. તો તેમાં તમારી મહેનત ઓછી નથી પડતી તમારી ઘરની દિશાઓમાં રાખેલી વસ્તુઓની અસર છે. વાસ્તુદોષના કારણે પણ ધનદોષ હોય છે અને પરેશાનીઓમાંથી મુક્તિ નથી મળતી.
ઘરની દિવાલોને હંમેશા સાફ રાખવી જોઇએ, દર અઠવાડીયે ઘરની દિવાલો પર અને ખુણામાં કરોળીયાના જાળા થઇ જતા હોય છે તેના કારણે ધન ટકે નહી. જેથી અઠવાડીયામાં 2 થી 3 વાર દિવાલોની સાફ સફાઇ કરવી જોઇએ.
દેવામાંથી મુક્તિ જોઇએ છે તો તમારા ઘર અને દુકાનની બારી ઉત્તર-પૂર્વ દિશામાં લગાવો અને તેમાં કાચ નંખાવી લો. ઉત્તર પૂર્વ દિશામાં ક્યારેય કોઇ ભારે સામાન ન રાખવો.
સાંજના સમયે ઝાડ-પાન તોડવાની મનાઇ હોય છે. એવુ માનવામાં આવે છે કે સાંજના સમયે ઝાડ-પાન આરામ કરતા હોય છે. જો તમે આવુ કરો છો તો આર્થિક મુશ્કેલીઓમાં જકડાઇ જશો અને છુટવુ મુશ્કેલ થઇ જશે.
તમારા ઘરમાં તિજોરીને હંમેશા દક્ષિણ દિશામાં જ રાખો. તેનુ મોઢુ ઉત્તર દિશામાં ખુલવું જોઇએ. તેનાથી દેવાનો બોજ નથી રહેતો અને ધન સદાય માટે વરસે છે.
ધનની લેવડ દેવડ સોમ કે બુધવારે કરવુ શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઇ પાસેથી પૈસા ઉધાર લેવાથી બચો. નહી તો ઉધારી વધતી જ જાય છે.
સાંજે ઉંધવુ વર્જીત છે. સાંજ પડે એટલે ઘરના મોટા પણ કહેતા હોય છે કે ઉઠી જાઓ. સાંજના સમયે ઉંઘવાથી ઘરમાં દરિદ્રતા આવે છે માટે ઉંઘવાનુ ટાળો.