ઘરના ઉપયોગમાં લેવાતી વસ્તુઓને વાસ્તુના હિસોબે રાખવાથી લાભ થાય છે. ઘરમાં દરેક વસ્તુઓ યોગ્ય દિશામાં હોવી જરૂરી છે.
વાસ્તુ પ્રમાણે રાખો તમારુ ઘર
દરેક દિશામાં યોગ્ય સામાન રાખો
તિજોરી અને કબાટ પ્રોપર દિશામાં હોવા જરૂરી
જો ઘરમાં વસ્તુઓ ખોટી જગ્યાએ હોય તો વાસ્તુ દોષ થાય છે અને જીવનમાં તકલીફો ઉભી થાય છે. કઇ જગ્યાએ કઇ વસ્તુ રાખવી જોઇએ તે વિશેની માહીતી હોવી જોઇએ.
ઉત્તર દિશા
વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર દિશાને ભગવાન કુબેરનું સ્થાન માનવામાં આવે છે. માટે તે દિશામાં તિજોરી કે કબાટનું રાખવુ શુભ માનવામાં આવે છે. તે સિવાય કોઇ પણ ચીજ આ દિશામાં ન રાખો.
પૂર્વ દિશા
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પૂર્વ દિશાના સ્વામી સૂર્ય અને ઇન્દ્ર દેવ છે. માટે આ જગ્યાને હંમેશા ખાલી રાખવી જોઇએ. નવુ ઘર બનાવવાવાળા લોકો ખાસ ધ્યાન રાખે કે ઘરમાં સૂર્યના કિરણો આવવા ખુબ જરૂરી છે.
દક્ષિણ દિશા
વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ દિશામાં હંમેશા ભારે સામાન જ રાખવો જોઇએ. આ જગ્યા ખાલી ન હોવી જોઇએ અને અહી ટોયલેટ કે બાથરૂમ પણ ન બનાવો. તેનાથી ઘરમાં રહેલી સુખ શાંતિ ભંગ થશે.
પશ્ચિમ દિશા
બાથરૂમ કે ટોયલેય બનાવવા માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા પશ્ચિમને માનવામાં આવે છે પરંતુ ધ્યાન રાખો કે આ દિશામાં રસોડુ ક્યારેય ન બનાવો.
ઇશાનકોણ
ઇશાન ખૂણો ભગવાન શિવનું સ્થાન માનવામાં આવે છે. માટે તે દિશામાં પૂજા ઘર બનાવો અને આ દિશાનો સ્વામી ગુરુને માનવામાં આવે છે.