26 સપ્ટેમ્બરથી નોરતાની શરૂઆત થઇ રહી છે. એવામાં લોકોએ નવરાત્રીની તૈયારી અત્યારથી શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે નવરાત્રીમાં માં દુર્ગાની મૂર્તિની સ્થાપના કરતા પહેલા જાણી લો જરૂરી નિયમ.
26 સપ્ટેમ્બરથી થઇ રહી છે નોરતાની શરૂઆત
માં દુર્ગાની મૂર્તિની સ્થાપના કરતા પહેલા જાણો જરૂરી નિયમ
આ દિશામાં ભૂલથી પણ માંની મૂર્તિની સ્થાપના ના કરશો
મૂર્તિની સ્થાપના કરતા પહેલા જાણી લો આ નિયમ
સર્વ પિતૃ અમાસના બીજા દિવસે એટલે કે આસો મહિનાના શુક્લ પક્ષની એકમથી નવરાત્રીની શરૂઆત થાય છે. વાસ્તુ મુજબ દરેક વસ્તુને રાખવાની એક નિશ્ચિત દિશા હોય છે. જો આ દિશામાં આ વસ્તુઓને રાખવામાં આવે તો તે શુભ પરિણામ આપે છે. આ રીતે નવરાત્રીમાં માં દુર્ગાની મૂર્તિ સ્થાપન કરતા પહેલા વાસ્તુ જાણકારો મુજબ અમુક નિયમોનુ પાલન કરવુ ખૂબ જરૂરી છે. આવો જાણીએ કઈ દિશામાં માં દુર્ગાની મૂર્તિની સ્થાપના કરવી શુભ છે અને કઈ દિશામાં ભૂલથી પણ માતાની મૂર્તિની સ્થાપના ન કરશો.
નોરતામાં માં દુર્ગાની મૂર્તિ માટે વાસ્તુ નિયમ
આ દિશામાં સ્થાપન કરવુ હોય છે શુભ
વાસ્તુ જાણકારો મુજબ માં દુર્ગાની મૂર્તિની ઉત્તર-પૂર્વ દિશા એટલેકે ઈશાન ખૂણામાં સ્થાપના કરો. કહેવાય છે કે જો આ દિશામાં માતાની મૂર્તિનુ સ્થાપન કરવામાં આવે તો શારીરીક અને માનસિક શાંતિ મળે છે. આ સાથે માં દુર્ગાનો આશીર્વાદ મળે છે.
આ દિશામાં પણ સ્થાપન કરી શકાય
જો ઉત્તર-પૂર્વમાં મૂર્તિનુ સ્થાપન કરવુ શક્ય ન હોય તો ઉત્તર અથવા પશ્ચિમ દિશામાં પણ માં દુર્ગાની મૂર્તિની સ્થાપના કરી શકાય છે. આ દિશાઓમાં સ્થાપના કરવાથી ભક્તનુ મુખ પૂર્વ અથવા દક્ષિણ દિશા તરફ હશે. જેને પૂજા માટે શુભ માનવામાં આવી છે. પૂર્વ દિશા તરફ મોંઢૂ રાખીને પૂજા કરવાથી વ્યક્તિમાં ચેતના જાગૃત થાય છે અને દક્ષિણ દિશામાંથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે.
ભૂલથી પણ આ દિશામાં સ્થાપના ના કરશો
કહેવાય છે કે માં દૂર્ગાની મૂર્તિને ભૂલથી પણ દક્ષિણ દિશામાં ના રાખશો. આ દિશાને યમરાજની દિશા કહેવામાં આવે છે. આ સાથે એવુ પણ માનવામાં આવે છે કે આ દિશામાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. એવામાં જો આ દિશામાં માંની મૂર્તિને રાખવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિની હાનિ થાય છે.