ઘરનો કચરો સાફ કરવા સાવરણીનો ઉપયોગ તો લગભગ બધાંના ઘરમાં થતો જ હોય છે. ખૂબજ સામાન્ય લાગતી આ વસ્તુનું શાસ્ત્રોમાં બહુ મહત્વ છે. માન્યતા અનુસાર સાવરણી ધનની દેવી લક્ષ્મીનું જ એક સ્વરૂપ છે. સાવરણી ગંદકી રૂપી દરિદ્રતાને દૂર કરે છે. જ્યોતિષ, વાસ્તુ અને જૂની માન્યતાઓ અનુસાર સાવરણીના કારણે આપણા ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. ઘરના કચરામાં ઘણી નકારાત્મક શક્તિઓ હોય છે, જેની ખરાબ અસર ઘર અને ઘરના સભ્યો પર પડે છે. જાણો સાવરણીની ખાસ વાતો...
આ દિવસે ઘરમાં લાવો નવી સાવરણી, ગરીબી ભાગશે દૂર અને થશે ધનલાભ
- નવી સાવરણી ખરીદવી હોય તો શનિવારે ખરીદવી.શનિવારે ઘરમાં નવી સાવરણી લાવવી શુભ ગણાય છે.
- સાવરણીને ઘરના કોઇપણ રૂમમાં પશ્ચિમ દિશામાં રાખવી શુભ ગણાય છે. તેનાથી નકારાત્મક ઉર્જાઓ નાશ થશે. તૂટેલી સાવરણી ન વાપરવી.
- સાવરણીથી ઘરના લોકોને ખરાબ નજરથી બચાવી શકાય છે. વાસ્તુ અનુસાર ધનની જેમજ સાવરણીને પણ ઘરમાં સંતાડીને રાખવી જોઇએ.
- સાવરણી પગ અડાડવાથી મહાલક્ષ્મીનો અનાદર થાય છે, એટલે સાવરણીને પગ અડે તો લક્ષ્મીજીની માફી માંગવી.
- જો તમે ભાડાના ઘરમાં રહેતા હોય તો ઘર બદલતી વખતે જૂની સાવરણી ત્યાં મૂકીને ન જવી. આમ કરવાથી લક્ષ્મી પણ ત્યાં જ છૂટી જાય છે.
- સાવરણીને ક્યારેય ઊભી ન મૂકવી.
- સાવરણીને હંમેશાં સાફ રાખવી. ભીની ન રાખવી અને જૂની સાવરણીને ઘરમાં ન રાખવી.
- શનિવારે જૂની સાવરણી બદલવી અને સાવરણીને ક્યારેય સળગાવવી ન જોઇએ.
- ઘરના મુખ્ય દરવાજાની પાછળ એક નાનકડી સાવરણી લટકાવી રાખવી. તેનાથી ઘરમાં લક્ષ્મીજીની કૃપા જળવાઇ રહે છે.
- ઘરનો કોઇ સભ્ય બહાર જાય તો તરત કચરો વાળવો અશુભ ગણાય છે. આમ કરવાથી તે વ્યક્તિને કામમાં અસફળતા મળી શકે છે.